- જંગલમાં છુપાયા હોવાની માહિતી મળી હતી
- પોલીસ ઉપર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો
- મોડે સુધી પોલીસ અને નક્સલીઓ વચ્ચે ચાલી અથડામણ
મુંબઈઃ દેશમાં ભાંગફોડની પ્રવૃતિ આચરનારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આઠેક નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. મોડે સુધી ગઢચિરોલીના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી હતી. જો કે, અથડામણમાં પોલીસ કર્મચારીઓને કોઈ નુકસાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
મહારાષ્ટ્રમાં નકસલવાદને નાબુદ કરવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં આઠ જેટલા નકસલવાદીઓને ઠાર માર્યા હોવાનું જાણવા મળે છે. આ અથડામણ ગઢચિરોલી સ્થિત ગ્યારબત્તી જંગલ વિસ્તારમાં ધનોરામાં થઈ હતી. આ જગ્યા મુંબઈથી લગભગ 920 કિમી દૂર હોવાનું જાણવા મળે છે. નકસલવાદીઓએ અહીં છુપાયાં હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન અહીં છુપાયેલા નક્સલવાદઓએ પોલીસ કર્મચારીઓ ઉપર ગોળીબાર કર્યો હતો. જેથી પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. આ ગોળીબારમાં લગભગ આઠ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. મોડે સુધી અથડામણ ચાલી હતી. કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં નકસલીઓ છુપાયો હોવાની બાતમી મળતા સુરક્ષા સાથે પોલીસ સજ્જ થઈ હતી અને ઘેરો ઘાલીને નકસલીઓને આંતર્યા હતા અને ગોળીબારમાં તેમને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓ ઘાયલ થયા છે. એસપી અંકિત ગોયેલે જણાવ્યું કે વહેલી સવારે પોલીસ અને માઓવાદી વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું. એન્કાઉન્ટર બાદ જ મોતનો સાચો આંકડો બહાર આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં નક્સલવાદીઓ સામે અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન ઝારખંડમાં પણ નક્સવાદીઓને ઝડપી લેવામાં આવ્યાંનું જાણવા મળે છે. આ ઉપરાંત છત્તીસગઢમાં તાજેતરમાં જ સરેન્ડર કર્યું હતું.