1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ધો-12 સાયન્સનું 66 ટકા પરિણામ જાહેરઃ A ગ્રુપનું 72, B ગ્રુપનું 62 અને AB ગ્રુપનું 59 ટકા પરિણામ
ગુજરાતમાં ધો-12 સાયન્સનું 66 ટકા પરિણામ જાહેરઃ A ગ્રુપનું 72, B ગ્રુપનું 62 અને AB ગ્રુપનું 59 ટકા પરિણામ

ગુજરાતમાં ધો-12 સાયન્સનું 66 ટકા પરિણામ જાહેરઃ A ગ્રુપનું 72, B ગ્રુપનું 62 અને AB ગ્રુપનું 59 ટકા પરિણામ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનામાં લેવામાં આવેલી ગુજરાત રાજ્ય માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. ધો-12 વિજ્ઞાનપ્રવાહનું પરિમાણ 65.58 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું 66.32 ટકા અને નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.32 ટકા આવ્યુ છે. રાજ્યની કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યુ છે. જ્યારે 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી કુલ 76 શાળાઓ છે.

ગુજરાતમાં 14 માર્ચ, 2023 થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા છે. GSEB ધોરણ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે લેવામાં આવશે જ્યારે GSEB ધોરણ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી. આજે શિક્ષણ બોર્ડ દ્વારા ધો-12 વિજ્ઞાનપ્રવાહનું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

ધો-12 વિજ્ઞાનપ્રવાહના એ-ગ્રુપમાં 72.27% અને બી ગ્રુપમાં 61.71% પરિણામ આવ્યું છે. આ ઉપરાંત AB ગ્રૂપના ઉમેદવારોનું 58.62 ટકા પરિણામ જાહેર થયુ છે. આ વર્ષે ગેરરીતિના કુલ 35 કેસ સામે આવ્યા હતા. સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબર છે અને દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું 29% રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22% પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22 % સાથે છેલ્લા ક્રમે આવ્યુ છે. ગુજરાતી માધ્યમનું 65.32% અને અંગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો-12 સાયન્સની સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 3 એપ્રિલના રોજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓએ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં પરીક્ષા આપી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code