1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જગન્નાથજી રથયાત્રાઃ સરસપુરમાં ભગવાનનું મામેરુ કરાયું, લાખો ભક્તોએ લીધો પ્રસાદ
જગન્નાથજી રથયાત્રાઃ સરસપુરમાં ભગવાનનું મામેરુ કરાયું, લાખો ભક્તોએ લીધો પ્રસાદ

જગન્નાથજી રથયાત્રાઃ સરસપુરમાં ભગવાનનું મામેરુ કરાયું, લાખો ભક્તોએ લીધો પ્રસાદ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં આજે પરંપરાગત રૂટ ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી. દરમિયાન બપોરના સમયે ભગવાન મામાના ઘર સરસપુર પહોંચ્યાં હતા. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. જય જગન્નાથના નાદ સાથે સમગ્ર સરસપુર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સરસપુરમાં ભગવાન, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજીનું મામેરુ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં સરસપુરની વિવિધ પોળમાં લાખો શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોરના સમયે સરસપુર પહોંચી હતી. ભગવાનને આવકારવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ જય રણછોડ માખણચોર અને જય જગન્નાથજીના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભગવાનના મોસાળમાં મહિલાઓએ ભજનની રમઝટ બોલાવી ભાણેજને આવકારતા વાતાવરણ ભક્તિમય બનાવી દીધું છે. સરસપુરમાં અખાડા જોવા ભાવિકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. બીજી તરફ રથયાત્રીઓ પર પોળના લોકોએ પાણી વરસાવ્યું હતું. મોસાળમાં ભગવાનના સ્વાગતની તડામાર તૈયારી કરાઈ હતી.

ભગવાન જગન્નાથનું મામેરુ ભરવા સરસપુરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજીને આભૂષણ, વસ્ત્ર સહિત અનેક વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. આ દરમિયાન, સરસપુરમાં અલગ-અલગ પોળમાં જમવાની વ્યવસ્થા કરાઈ છે. સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે વિવિધ પોળમાં ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. લગભગ 2 હજાર કિલો બુંદી, 2500 કિલો મોહનથાળ, ચાર હજાર કિલો ફુલવડી, પુરી અને બટાકાનું શાક તૈયાર કરાયું હતું. લગભગ દોઢ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓએ દાળ-ભાત, શાક, પુરી, ફુલવડી અ બુંદીનો પ્રસાદ આરોગ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code