1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પંચમહાલ : NEETની પરીક્ષામાં ચોરી કેસની તપાસ માટે SITની રચના
પંચમહાલ : NEETની પરીક્ષામાં ચોરી કેસની તપાસ માટે SITની રચના

પંચમહાલ : NEETની પરીક્ષામાં ચોરી કેસની તપાસ માટે SITની રચના

0
Social Share

અમદાવાદઃ પંચમહાલથી સામે આવેલા NEET પરીક્ષા કૌભાંડ મામલે જિલ્લા પોલોસ વડાએ આજરોજ મોટો ખુલાસો કર્યો છે. સમગ્ર મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. હવે આ મામલે પોલીસે બનાવેલી SIT દ્વારા તપાસ શરૂ કરવા માં આવી છે જેમાં પણ ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે SITની રચના કરી છે.સાથે જ આજરોજ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. આરોપી તુષાર ભટ્ટે જે વિદ્યાર્થીઓ સાથે ડિલ થઈ હતી તેમને જણાવ્યું હતું કે, જેટલું આવડે તેટલું OMR શીટમાં લખવું બાકીનું બ્લેન્ક છોડી દેવું અને ભટ્ટે OMR શીટમાં બાકીના જવાબો ભરવા માટે વાલીઓ જોડે કર્યું હતું સેટિંગ.

હાલ આ સમગ્ર મામલે ત્રણ આરોપી પૈકી રોય ઓવરસિઝના માલિક પરશુરામ રોયની ગોધરા પોલીસે ગત રાત્રીના તેના તેની ઓફીસથી ધરપકડ કરી લીધી છે તો બાકીના બે આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરાને ઝડપી પાડવા પણ અલગ અલગ ટિમો બનાવી તાપસ કરવામાં આવી રહી છે.

સૌથી મહત્વની વાત એ છે કે આ મામલે હવે જે વિદ્યાર્થીઓના લિસ્ટ ભટ્ટ અને રોયની વોટ્સએપ ચેટમાં સામે આવ્યા છે તે વાલીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવનાર છે. હાલ જે વિદ્યાર્થીઓનું લિસ્ટ સામે આવ્યું છે તેમના વાલીઓને શોધી કાઢવા પોલીસે અલગથી એક ટિમ કામે લગાડી છે.SITની ટિમ પરશુરામ રોયની ઓફીસમાં હાલ સર્ચ કરી રહી છે જેના દસ્તાવેજમાંથી પણ અનેક મોટા ખુલાસાઓ સાથે કેટલાક મોટા માથાના નામો પણ સામે આવી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code