1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાને નાબુદ કરવા દેશનો દરેક યુવાન રસીકરણ કરાવે તે આવશ્યક: CM રૂપાણી
કોરોનાને નાબુદ કરવા દેશનો દરેક યુવાન રસીકરણ કરાવે તે આવશ્યક: CM રૂપાણી

કોરોનાને નાબુદ કરવા દેશનો દરેક યુવાન રસીકરણ કરાવે તે આવશ્યક: CM રૂપાણી

0
Social Share
  • ગુજરાતમાં 1મેથી રસીકરણ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્રજાજોગ સંબોધન
  • દરેક નાગરિકનું રસીકરણ થાય એ જ સમયની માંગ છે: CM રૂપાણી
  • રસીકરણના ત્રણ તબક્કામાં કુલ વસ્તીનાં 1 કરોડ 20 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે

ગાંધીનગર: ગુજરાતમાં 1મેથી શરૂ થઇ રહેલા રસીકરણ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક નાગરિકનું રસીકરણ થાય તે સમયની માંગ છે. આપણે ભાગ્યાશાળી છીએ કે ભારતમાં જ બનેલી રસી આપણને મળી રહી છે. કેન્દ્ર સરકાર તેમજ વૈજ્ઞાનિકોના પ્રયાસોથી આ શક્ય બન્યું છે. ત્રણ તબક્કામાં રસીકરણ કરાયું. જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ, બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર્સ તેમજ ત્રીજો 45થી વધારે ઉંમરના લોકો માટે. તેના જ પરિણામ તરીકે આજે ગુજરાત આ બાબતે અન્ય રાજ્યોની સરખામણીએ આગળ છે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ત્રણેય તબક્કાનાં કુલ વસ્તીનાં 1 કરોડ 20 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે. ત્રણ તબક્કા માટે 1 કરોડ 27 લાખ 75 હજાર ડોઝ સરકારે આપણને આપ્યા છે. કોવિશિલ્ડના 3.70 લાખ તેમજ ભારત બાયોટેકના 3.30 લાખ ડોઝ આપણી પાસે હાલ ઉપલબ્ધ છે. આ ડોઝ હાલ ચાલી રહેલા 45થી વધુ વયના લોકોનાં રસીકરણ માટે ઉપયોગમાં લેવાઇ રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોરોનાને મ્હાત આપવા માટે દેશનો દરેક યુવાન રસીકરણ કરાવે તે આવશ્યક છે.

જો કે વડાપ્રધાને હવે કોરોનાને દેશવટો આપવાના ઉદ્દેશ્ય સાથે હવે 18 વર્ષથી વધુ વયજૂથના લોકોને ચોથા તબક્કાના વેક્સિનેશનમાં આવરી લેવાશે. સરકાર આ તમામ લોકોને સરકારી ખર્ચે ફ્રી રસી આપશે. ગુજરાતની વાત છે ત્યાં સુધી આપણે ચોથા તબક્કાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. જનજાગૃતિ તેમજ નાગરિકોના સહયોગથી આપણે ચોથા તબક્કામાં પણ અગ્રેસર રહીશું. ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં પણ લોકો જોશ સાથે નોંધણી કરાવી રહ્યા છે.

રસીકરણના ડોઝની સંખ્યા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 18થી વધારે વયના રસીકરણ માટે પહેલા 1.50 કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે વધારીને હવે અઢી કરોડ કરી છે. હાલ અલગ અલગ કંપનીઓને ઓર્ડર આપી દેવાયા છે. 6 હજાર વેક્સિનેશન સેન્ટર્સ કાર્યરત કરેલા છે. 18થી વધુ વયના વ્યક્તોન વારો આવે ત્યારે વેક્સિનેશન થાય તે માટે આયોજન ચાલી રહ્યું છે.

યુવાઓમાં રસીકરણના મહત્વ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, યુવાનો સમયસર રસી મેળવે અને કોરોનાપ્રુફ બને તે આવશ્યક છે. સરકાર સંપૂર્ણ રસીકરણ સત્વરે થાય તે માટે આયોજન કરી રહી છે. આ રસીકરણ માટેનો આપણો મક્કમ નિર્ધાર છે. રસીનું ઉત્પાદન વધારવા માટે સરકાર પ્રયાસરત છે. રસી આવશે એટલે અભિયાન ચાલુ થશે. થોડું ઘણું મોડું થઇ શકે છે પરંતુ આપણે મહત્તમ રસીકણ કરાવવાનું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code