1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેલિફોર્નિયામાં ગાંધીજીની પ્રતિમા સાથે અજાણ્યા શખ્સોએ કરી તોડફોડ, ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ
કેલિફોર્નિયામાં ગાંધીજીની પ્રતિમા સાથે અજાણ્યા શખ્સોએ કરી તોડફોડ, ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ

કેલિફોર્નિયામાં ગાંધીજીની પ્રતિમા સાથે અજાણ્યા શખ્સોએ કરી તોડફોડ, ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ

0
Social Share
  • પુણ્યતિથિના દિવસે જ મહાત્મા ગાંધીનું અપમાન
  • કેલિફોર્નિયામાં ગાંધીજીની પ્રતિમા સાથે તોડફોડ
  • ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ
  • 4 વર્ષ પહેલા ભારતે આપી હતી ભેટ

દિલ્લી: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના એક પાર્કમાં લગાવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. આ ઘટનાથી ભારતીય અમેરિકન લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, અને તેમણે અધિકારીઓને જાતિગત નફરતના ગુનાના કેસમાં તેની તપાસ કરવાની માંગ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ઉત્તર કેલિફોર્નિયાના ડેવિસ શહેરના સેન્ટ્રલ પાર્કમાં લગાવવામાં આવેલી મહાત્મા ગાંધીની છ ફૂટ ઉંચી અને 294 કિલોનું વજન ધરાવતી પ્રતિમાના ઘૂંટણ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. પ્રતિમાનો અડધો ભાગ ક્ષતિગ્રસ્ત અને ગુમ થયેલ છે.

પોલીસે જણાવ્યું કે, મહાત્મા ગાંધીની ક્ષતિગ્રસ્ત પ્રતિમાને સૌથી પહેલા 27 જાન્યુઆરીની સવારે પાર્કના એક કર્મચારીએ જોઇ હતી. ડેવિસ શહેર પરિષદ સભ્ય લુકાસ ફ્રેરીક્સે જણાવ્યું કે, પ્રતિમાને હટાવવામાં આવી રહી છે અને તેને સુરક્ષિત સ્થળે રાખવામાં આવશે. ખબરો મુજબ, તપાસકર્તાઓ હજુ સુધી શોધી શક્યા નથી કે, પ્રતિમાને ક્યારે તોડવામાં આવી અને તેની પાછળનું કારણ શું છે. ડેવિસ પોલીસ વિભાગના ડેપ્યુટી ચીફ પોલ ડોરોશોવએ જણાવ્યું કે, મહાત્મા ગાંધી ડેવિસમાં રહેતા કેટલાક લોકો માટે સાંસ્કૃતિક ચિહ્ન છે.અને તેને ધ્યાનમાં રાખીને અમે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ.

મહાત્મા ગાંધીની આ પ્રતિમા ભારત સરકાર દ્વારા ડેવિસ શહેરને પ્રદાન કરવામાં આવી હતી. અને ગાંધી વિરોધી અને ભારત વિરોધી સંગઠનોના વિરોધ સંગઠનોના વિરોધ પ્રદર્શનોની વચ્ચે શહેર પરિષદએ ચાર વર્ષ પહેલાં તેને સ્થાપિત કરી હતી.ઓર્ગેનાઇઝેશન ફોર માઇનોરીટીઝ ઇન ઇન્ડિયા દ્વારા પ્રતિમાની સ્થાપનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, પ્રતિમાની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદથી ઓએફએમઆઇએ ગાંધીની પ્રતિમાને હટાવવા માટે ઝુંબેશ ચલાવી હતી.

ભારતીય મૂળના અમેરિકનોએ આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. ‘ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ’ ના ગૌરાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, ઘણાં વર્ષોથી ભારત વિરોધી અને હિન્દુ વિરોધી કટ્ટરવાદી સંગઠનો દ્વારા ઓ.એફ.એમ.આઇ. અને ખાલિસ્તાની અલગાવવાદીઓ દ્વારા નફરતનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે.અન્ય સંગઠનોએ પણ ઘટનાની નિંદા કરી છે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code