1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ ફાયર સેફ્ટીના મુદ્દે 37 સ્કૂલોને બંધ કરવા અપાઈ નોટિસ
અમદાવાદઃ ફાયર સેફ્ટીના મુદ્દે 37 સ્કૂલોને બંધ કરવા અપાઈ નોટિસ

અમદાવાદઃ ફાયર સેફ્ટીના મુદ્દે 37 સ્કૂલોને બંધ કરવા અપાઈ નોટિસ

0
Social Share

અમદાવાદઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 દર્દીઓના મોતની ઘટના બાદ કોર્ટે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેથી ફાયર સેફ્ટીને લઈને અમદાવાદનું મનપા તંત્ર વધુ એક્ટિવ થયું છે. દરમિયાન શહેરની હદમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી 37 સ્કૂલોને ફાયર બ્રિગેડે બંધ કરવા માટે નોટિસ આપી છે. ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને નોટિસ આપી હતી. તેમ છતાં પણ તેમના દ્વારા ફાયર એનઓસી મેળવવામાં ન આવતાં આખરે ફાયરબ્રિગેડે તેમના બિલ્ડિંગનો વપરાશ બંધ કરવા માટે આખરી હુકમ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન ધરાવતાં અનેક એકમો સામે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. કોર્પોરેશને આ પૂર્વે પણ બીયુ પરમિશન વગરની હોસ્પિટલો પર કાર્યવાહી કરી હતી. ફાયર સેફ્ટી તેમજ બીયુ પરમિશન ન હોય તેવી 42 હોસ્પિટલોની માન્યતા રદ કરવામાં આવી છે અને સાત દિવસમાં જ હોસ્પિટલ ખાલી કરવા મનપાએ આદેશ આપ્યો હતો. સાત દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરી હોસ્પિટલ ખાલી કરવાની રહેશે અને કોર્પોરેશનને આ અંગે જાણ કરવાની રહેશે. મહત્વનું છે કે, આ હોસ્પિટલોને અપાયેલું ફોર્મ-C રદ કરવામાં આવ્યું છે.

અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 161 એકમોને પત્ર લખીને ફાયર NOC કરવા જાણ કરી હતી. ફાયર NOC રિન્યૂ કરવાની તારીખ નજીક આવતા આ એકમોને જાણ કરાઇ હતી. જો આ એકમો NOC રિન્યૂ કરવાનું ભૂલી જાય તો તેના વપરાશકર્તા કે કબ્જેદારને હાલાકી પડતી હોય છે. જેથી કોઇ હાલાકી ન પડે તે માટે અગાઉથી ફાયર વિભાગ દ્વારા જાણ કરાઇ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code