1. Home
  2. revoinews
  3. મોડાસા નગરપાલિકામાં સમિતિ ચેરમેનોની વરણી: ભાજપે 24 મહત્ત્વની જવાબદારીઓ સોંપી
મોડાસા નગરપાલિકામાં સમિતિ ચેરમેનોની વરણી: ભાજપે 24 મહત્ત્વની જવાબદારીઓ સોંપી

મોડાસા નગરપાલિકામાં સમિતિ ચેરમેનોની વરણી: ભાજપે 24 મહત્ત્વની જવાબદારીઓ સોંપી

0
Social Share

હેમંત પરમાર, અરવલ્લી

મોડાસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી જાહેર કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ નગરપાલિકાની વિવિધ મહત્ત્વની સમિતિઓમાં ચૂંટાયેલા સભ્યોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ નિમણૂકો બાદ નગરપાલિકાના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નગરપાલિકાની સૌથી મહત્ત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે અનિલભાઈ રેવાભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ટાઉન પ્લાનિંગ સમિતિનું સુકાન વિશાલભાઈ જયવંતભાઈ ભાવસારને સોંપવામાં આવ્યું છે. વ્યવસાય વેરો સમિતિના ચેરમેન તરીકે યાજ્ઞિકકુમાર દેવશંકર ભટ્ટ અને જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે અશ્વિનકુમાર ભરતભાઈ પરમારની વરણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મીડિયા સંવાદ યોજાયો

આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત કાર્યો માટે આરોગ્ય અને સેનેટરી સમિતિનું નેતૃત્વ રમણભાઈ જેઠાભાઈ પ્રજાપતિને સોંપવામાં આવ્યું છે. જ્યારે વીજળી અને દીવાબત્તી સમિતિના ચેરમેન તરીકે વ્રજકુમાર જયેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. ગટર વ્યવસ્થા યોજના સમિતિ માટે રેખાબેન પ્રવીણભાઈ ડાભી અને સમાજ કલ્યાણ સમિતિ માટે લલીતાબેન મણિલાલ પ્રણામીને જવાબદારી આપવામાં આવી છે.

નગરજનો માટે અત્યંત મહત્ત્વની પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે સુનિલકુમાર યુનીલાલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. બગીચા સમિતિનું નેતૃત્વ પારુલબેન સંજયકુમાર ભાવસાર સંભાળશે. ગુમાસ્તાધારા સમિતિની જવાબદારી અંજલી જયપ્રકાશ ધનવાણીને સોંપવામાં આવી છે, જ્યારે વેરા વસૂલાત સમિતિના ચેરમેન તરીકે હંજુબાઈ હોતચંદ કેલાની પસંદગી કરવામાં આવી છે.

ફાયર, એમ્બ્યુલન્સ અને સીટી બસ જેવી મહત્ત્વની સેવાઓ સાથે સંકળાયેલી સમિતિના ચેરમેન તરીકે રીટાબેન મહેશભાઈ ભોઈની નિમણૂક કરવામાં આવી છે. વાહન વ્યવહાર સમિતિનું નેતૃત્વ અમૃતભાઈ કચરાભાઈ પરમાર કરશે. શિક્ષણ, રમત-ગમત, સાંસ્કૃતિક અને ઉત્સવ સમિતિ તેમજ એન.યુ.એલ.એમ. અને આઈ.ટી.એસ.એમ.ટી. સમિતિની જવાબદારી દિપલબેન આશિષકુમાર સોનીને સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ મુંબઈ એરપોર્ટ પર મોડેલ હર્ષા સનીની 11.82 કરોડના હાઇડ્રોપોનિક ગાંજાના સાથે ધરપકડ

પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના સમિતિના ચેરમેન તરીકે રમેશભાઈ ગૌતમભાઈ કટારાની પસંદગી કરવામાં આવી છે. ટાઉનહોલ સમિતિનું નેતૃત્વ ગ્રીમાબેન નિલેષભાઈ કડિયા કરશે, જ્યારે લીગલ સમિતિની જવાબદારી જીમીત વિનોદચંદ્ર શાહને આપવામાં આવી છે. દબાણ સમિતિના ચેરમેન તરીકે પારુલબેન જિતેન્દ્રકુમાર ખાંટની વરણી કરવામાં આવી છે.

સ્વચ્છ ભારત અને પર્યાવરણ સમિતિનું નેતૃત્વ જાકીરહુસૈન લાલુભાઈ મુલતાનીને સોંપવામાં આવ્યું છે. જમીન સમિતિના ચેરમેન તરીકે રેખાબેન રાજેશકુમાર ભાટીયાની પસંદગી કરવામાં આવી છે. જન્મ-મરણ સમિતિ માટે દીપાબેન ભાવીનકુમાર શેઠ અને પસંદગી સમિતિ માટે સુનિલકુમાર યુનીલાલ પટેલની વરણી કરવામાં આવી છે. ઉપરાંત માર્કેટયાર્ડ પ્રતિનિધિ તરીકે મિતુલકુમાર મહેન્દ્રભાઈ શુક્લની નિમણૂક કરવામાં આવી છે.

આ નિમણૂકો સાથે ભાજપ દ્વારા નગરપાલિકાના વિવિધ વિભાગોમાં અનુભવી તેમજ નવા ચહેરાઓને તક આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આગામી સમયમાં શહેરના વિકાસ, સ્વચ્છતા, પાણી પુરવઠો, માર્ગ વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આ સમિતિઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે. રાજકીય વર્તુળોમાં પણ આ યાદીને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે અને વિવિધ સમિતિઓના ચેરમેનો પાસેથી અસરકારક કામગીરીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code