1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાન અને પંજાબમાં ભાંગફોડનું આઈએસઆઈ-ખાલિસ્તાનનું કાવતરુ
રાજસ્થાન અને પંજાબમાં ભાંગફોડનું આઈએસઆઈ-ખાલિસ્તાનનું કાવતરુ

રાજસ્થાન અને પંજાબમાં ભાંગફોડનું આઈએસઆઈ-ખાલિસ્તાનનું કાવતરુ

0
Social Share

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન ભારતમાં અરાજકતા ફેલવવા માટે આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ આતંકવાદી સંગઠનોને મદદ પુરી પાડે છે. બીજી તરફ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાનની સમર્થકો પણ સક્રિય થયાનું જાણવા મળે છે. દરમિયાન આઈએસઆઈ અને ખાલિસ્તાન રાજસ્થાન અને પંજાબમાં અરાજકતા ફેલાવવાનું કાવતરુ રચી રહી હોવાનું ગુપ્તચર એજન્સીઓને ધ્યાને આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પંજાબ અને રાજસ્થાનમાં અરાજકતા ફેલાવવાનું કાવતરુ ઘડવામાં આવી રહ્યાનું સામે આવતા ભારતીય ગુપ્તચર તંત્રએ બંને રાજ્યોને એલર્ટ કર્યાં છે. બીજી તરફ ગુપ્તચર તંત્રની માહિતીના આધારે બંને રાજ્યોની પોલીસ વધારે સાબદી બની છે અને જાહેર સ્થળો ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પેટ્રોલીંગ વધારવાની સાથે સઘન વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ લોકો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીની માહિતીની પગલે સુરક્ષા એજન્સીઓ પણ સર્તક બની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code