1. Home
  2. ગુજરાતી
  3. હવે રાજ્ય બહારથી અમદાવાદ પરત આવતા સમયે નહીં કરાવવો પડે RTPCR ટેસ્ટ પરંતુ આધારકાર્ડ દર્શાવવું પડશે
હવે રાજ્ય બહારથી અમદાવાદ પરત આવતા સમયે નહીં કરાવવો પડે RTPCR ટેસ્ટ પરંતુ આધારકાર્ડ દર્શાવવું પડશે

હવે રાજ્ય બહારથી અમદાવાદ પરત આવતા સમયે નહીં કરાવવો પડે RTPCR ટેસ્ટ પરંતુ આધારકાર્ડ દર્શાવવું પડશે

0
Social Share
  • હવે અમદાવાદ રહેતા લોકો રાજ્યમાં પરત આવે ત્યારે RTPCR કરાવવો અનિવાર્ય નથી
  • જો કે અમદાવાદીઓએ રાજ્યમાં પરત ફરવા સમયે આધાર કાર્ડ સાથે રાખવું પડશે
  • આ નિર્ણયનો અમલ 6 એપ્રિલથી કરવામાં આવશે

અમદાવાદ: રાજ્યમાં સતત વધતા કોરોના કેસ વચ્ચે રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોને RTPCR ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. ત્યારે અમદાવાદીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કોઇપણ કારણોસર રાજ્ય બહાર ગયા હોય એવા લોકો શહેરમાં પરત આવે તો તેમને RTPCR ટેસ્ટ કરાવવો હવે આવશ્યક નથી. જો કે અમદાવાદના રહેવાસી છે તેની ઓળખ માટે તમારે આધારકાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે.

AMC અનુસાર, અમદાવાદ શહેરના રહેવાસી કે જેઓ કામકાજથી રાજ્ય બહાર ગયા હોય તેવા રહેવાસીઓને અમદાવાદ શહેરમાં પરત આવવા સમયે RTPCR ટેસ્ટ કરવાની જરૂરિયાત રહેશે નહીં. તેઓ અમદાવાદના રહેવાસી છે તે માટે પુરાવા તરીકે સાથે આધારકાર્ડ રાખવું પડશે. આ નિર્ણયનો અમલ 6 એપ્રિલથી કરવામાં આવશે.

હાલમાં ગુજરાત રાજયમાંથી અન્ય રાજયમાં અને અન્ય રાજયમાંથી ગુજરાતમાં આવનારાઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા અને નેગેટીવ રીપોર્ટ સાથે રાખવા અંગે સરકાર તરફથી મુસાફરી કરવાવાળા માટે ગાઈડલાઈન અને સરકયુલર બહાર પાડવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ દિવસે દિવસે વધુ વિકટ બની રહી છે. એક તરફ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તે વચ્ચે આજે પણ 3160 નવા કેસ નોંધાયા છે. નવો સ્ટ્રેઇન બૂલેટ ગતિએ વધી રહ્યો છે અને એક પછી એક શહેરોમાં દવાખાના હાઉસફૂલ થઇ રહ્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code