1. Home
  2. ગુજરાતી
  3. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતજી બે દિવસની રાજકોટની મુલાકાતે આવશે

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતજી બે દિવસની રાજકોટની મુલાકાતે આવશે

0
Social Share

અમદાવાદઃ આરએસએસના સરસંધચાલક મોહન ભાગવત તા. 23થી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ સંઘના કાર્યકરો તથા આગેવાનો સાથે મુલાકાત કરશે. બીજી તરફ મોહન ભાગવતજીની ગુજરાતની મુલાકાતને લઈને પોલીસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોહન ભાગવતજી તા. 23મીથી બે દિવસની રાજકોટની મુલાકાતે આવશે. તેઓ બે દિવસની મુલાકાતમાં પ્રચારકો અને તેમના પરિવારજનોને મળશે. જો કે, તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. તેમની આ મુલાકાતનું આયોજન વિશ્ર્વ સંવાદ કેન્દ્ર સૌરાષ્ટ્રના માધ્યમથી કરાયુ છે. તેઓ સંઘના કોઈ કાર્યકર્તાને ત્યાં નિવાસ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદમાં સંઘની ત્રણ દિવસની બેઠકનું આયોજન થયું હતું અને ભાગવત સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ તેમાં હાજર રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code