1. Home
  2. ગુજરાતી
  3. દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળ ભારતમાં, જાણો તેની વિશેષતા…
દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળ ભારતમાં, જાણો તેની વિશેષતા…

દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળ ભારતમાં, જાણો તેની વિશેષતા…

0
Social Share

ભોપાલઃ ઉજ્જૈનના જંતર-મતર ખાતે 85 ફુટ ઉંચા ટાવર ઉપર વૈદીક ધડિયાળ લગાવવામાં આવી છે. આ ઘડીયાળનું ઈન્સ્ટ્રોલેશન અને ટેસ્ટીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. 10*12ની વૈદીક ઘડિયાળ દુનિયાના પ્રથમ એવી ડિજીટલ વોચ હશે જે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને ગ્રીનવિચ મીન ટાઈમ બનાવશે. આ ઉપરાંત પંચાગ અને મૂહૂર્તની પણ જાણકારી આપશે.

વૈદીક ઘડિયાળથી સૂર્યોદય-સૂર્યાસ્તથી લઈને સૂર્ય અને ચંદ્રગ્રહણની જાણકારી મળશે. ઘડીયાળમાં કલાક, મિનિટ અને સેકેન્ડની સોઈ પણ છે. સૂર્યોદય-સૂર્યાસ્તના આધાર ઉપર સમયની ગણતરી કરવામાં આવશે. જેના પરિણામે મૂહૂર્ત ગણના, પંચાંગ અને મૌસમની જાણકારી પણ મળશે. વૈદીક ઘડિયાળ વિકસિત કરનારી ટીમના સભ્ય શિશિર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ઘડિયાળ આપણો ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે. જે અનુસાર 48 મિનિટનો કલાક હશે, આ ઘડીયાળ વૈદીક સમયની સાથે સાથે અલગ-અલગ મૂહૂર્ત પણ બતાવશે. જુની કાલગણના અનુસાર આ ઘડિયાળ બનાવવામાં આવી છે.

મહારાજા વિક્રમાદિત્ય શોધ સંસ્થાનના ડાયરેક્ટર રામ તિવારીએ જણાવ્યુંહતું કે, આ ઘડિયાળ દુનિયાની પ્રથમ ઘડિયાળ હશે તેમાં ભારતીય કાલ ગણનાને દર્શાવા છે. ઉજ્જૈન કાલ ગણના (ટાઈમ કેલક્યુલેશન)નું કેન્દ્ર માનવામાં આવે છે. ઉજ્જૈનમાં કર્ક રેખા પસાર થાય છે. આ વૈદીક ઘડિયાળને લઈને વિશેષજ્ઞોનું માનવું છે કે, 300 વર્ષ પહેલા દુનિયાનો માનસ સમય ઉજ્જૈનથી નિર્ધારિત થયો હતો. સમયની માહિતી મેળવવા માટે ઉજ્જૈનમાં એક મશીન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code