1. Home
  2. ગુજરાતી
  3. ઉનાળાની સવારે આ જ્યુસ દિવસ દરમિયાન તમને રાખે છે ફ્રેશ, એનર્જી લેવલ જળવાી રહે છે
ઉનાળાની સવારે આ જ્યુસ દિવસ દરમિયાન તમને રાખે છે ફ્રેશ, એનર્જી લેવલ જળવાી રહે છે

ઉનાળાની સવારે આ જ્યુસ દિવસ દરમિયાન તમને રાખે છે ફ્રેશ, એનર્જી લેવલ જળવાી રહે છે

0
Social Share

દેશભરમાં ફરી કોરોના મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે  તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવી જરુરી બને છએ તમારા આરોગ્ય. પર ખાસ ધ્યાન આપવું જોઈએ .જો કે તમારે સવારથી જ તમારી ખાણી પીણી પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.દરરોજ સવારે ચા પીવાના બદલે આ ફળો અને શાકભાજીના જ્યુસ પીશો તો તમારી હેલ્છેથ સારી રહેશે તમારે તમારા દિવસને સારી શરૂઆત આપવાની અને સંતુલિત આહારનું પાલન કરવાનો પ્રયાસ કરવાની જરૂર છે. સવારના નાસ્તામાં તળેલો તીખો ખોરાક ખાવાને બદલે ફ્રેશ જ્યૂસ પીવા યોગ્ય છે જે તામરા દિવસને તાજગી ભર્યો અને એનર્જી ભર્યો રાખવામાં મદદ કરે છે.

કારેલાનું જ્યૂસ – રેલા એક એવું લીલું શાક છે જેનો સ્વાદ કડવો હોય છે. જેના કારણે મોટાભાગના લોકોને કારેલા પસંદ નથી પરંતુ કારેલા પૌષ્ટિક તત્વોનો ભંડાર હોય છે. કારેલામાં વિટામીન b1, b2 અને b3 ની સાથે મેગ્નેશિયમ, ફોલેટ, ફોસ્ફરસ જેવા ગુણ હોય છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે તો કારેલા વરદાન સમાન છે.

તરબૂચ – તરબૂચ એક ઉનાળાનું ફળ છે. અને તેનો સ્વાદ તેના જ્યુસની સાથે આવે છે. તેથી તમારી ઈમ્યુનિટી વધારવા માટે આ સ્વાદિષ્ટ જ્યુસ પીણું માટે તૈયાર થાઓ. વસ્તુઓને વધુ રસપ્રદ બનાવવા માટે તમારે તેમાં કેળા,પાકેલી કેરી અને ડેલ મોન્ટે ક્રેનબેરી ઉમેરવી પડશે અને અને તેને સવારના નાસ્તામાં સ્મુધીના રૂપમાં તમે આનંદ ઉઠાવી શકો છો.

લીબું – દરરોજ એક ગ્લાસ ગરમ લીંબુ પાણી તમારા મેટાબોલીઝમને સુધારવામાં અને તમારી ઈમ્યુનિટી વધારવામાં ચમત્કારિક રૂપથી કામ કરે છે. ફક્ત સવારે જ નહીં,પરંતુ કોવિડ સામે લડવા માટે તમે દિવસભર એક ગ્લાસ ઠંડા લીંબુ પાણી પણ પી શકો છો. લીંબુની સાથે તમે તમારા લીંબુના પાણીમાં તાજું અનાનસ અને આદુ પણ ઉમેરી શકો છો..

એલોવેરા – એલોવેરા ઘણા ફાયદાઓ સાથે આવે છે અને તમને ઈમ્યુનિટી વધારવામાં અને કોરોના સામે લડવામાં મદદ કરવા સિવાય એલોવેરાનું જ્યુસ ફ્લોલેસ સ્કિન,વાળની ​​સારી ગુણવત્તા અને વધુ ઘણાં કુદરતી ફાયદા પ્રદાન કરી શકે છે. તેથી સવારે એક ગ્લાસ એલોવેરાનું જ્યુસ પીવાથી શરીરને સંક્રમણ અને રોગોથી બચાવવામાં મદદ મળે છે.

પાઈનેપલ – પાઈનેપલ જ્યૂસમાં બ્રોમેલેન નામનું તત્વ હોય છે. જે પેટના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આ જ્યૂસ પીવાથી પેટ ફુલવાની પ્રોબ્લેમમાં રાહત મળે છે. આ જ્યૂસમાં એવા એન્જાઈમ્સ હોય છે જે પ્રોટીનને ડાઈજેસ્ટ કરવામાં મદદ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code