1. Home
  2. ગુજરાતી
  3. સંસદમાં વકફ બિલને લઈને 2 એપ્રિલે તમામ સાંસદોને હાજર રહેવા ભાજપનું વ્હીપ
સંસદમાં વકફ બિલને લઈને 2 એપ્રિલે તમામ સાંસદોને હાજર રહેવા ભાજપનું વ્હીપ

સંસદમાં વકફ બિલને લઈને 2 એપ્રિલે તમામ સાંસદોને હાજર રહેવા ભાજપનું વ્હીપ

0
Social Share

નવી દિલ્હીઃ સંસદની સંયુક્ત સમિતિના અહેવાલ બાદ સુધારેલ વકફ બિલ, બુધવાર (2 એપ્રિલ, 2025) ના રોજ લોકસભામાં વિચારણા અને પસાર માટે રજૂ કરવામાં આવે તેવી શકયતા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેના તમામ લોકસભા સાંસદોને વ્હીપ જારી કરીને 2 એપ્રિલ, 2025 ના રોજ સંસદમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યાનું જાણવા મળે છે.

કોંગ્રેસે વક્ફ સુધારા બિલ અંગે આજે એટલે કે મંગળવાર, 1 એપ્રિલ 2025 ના રોજ વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વકફ બિલ પર ચર્ચા કરી શકે છે. કેરળમાં, મુસ્લિમોએ ઘણી ખ્રિસ્તી મિલકતોને તેમની વકફ મિલકતો તરીકે જાહેર કરી છે. દરમિયાન, કેથોલિક સંગઠનોએ સરકારના વક્ફ બિલને સમર્થન આપતી એક પ્રેસ રિલીઝ બહાર પાડી છે. ઉપરાંત, મિલકતની માલિકી વગેરે અંગેના નિયમોમાં ફેરફારની માંગ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસે હજુ સુધી નિર્ણય લીધો નથી કે પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી કાલે બુધવારે લોકસભામાં વકફ ચર્ચા પર બોલશે કે નહીં.

દરમિયાન ભાજપના નેતા શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, બિલ અંગે મુસ્લિમ સમુદાયને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, “CAA દરમિયાનની જેમ, મુસ્લિમોને શાહીન બાગ બનાવવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. આ બિલથી મુસ્લિમોને ફાયદો થશે. જેમણે જમીન પર કબજો કર્યો છે તેઓ પોતાનો કબજો ગુમાવશે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code