1. Home
  2. ગુજરાતી
  3. નવા સંસદભવનના ઉદ્ઘાટનનો કોંગ્રેસ સહિતના વિપક્ષ બહિષ્કાર કરે તેવી શકયતા
નવા સંસદભવનના ઉદ્ઘાટનનો કોંગ્રેસ સહિતના વિપક્ષ બહિષ્કાર કરે તેવી શકયતા

નવા સંસદભવનના ઉદ્ઘાટનનો કોંગ્રેસ સહિતના વિપક્ષ બહિષ્કાર કરે તેવી શકયતા

0
Social Share

નવી દિલ્હીઃ દેશની નવી સંસદ તૈયાર થઈ ગઈ છે અને પીએમ નરેન્દ્ર મોદી 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરવાના છે. દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ તેનો બહિષ્કાર કરે તેવી શક્યતા છે.  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સૌથી પહેલા સવાલ ઉઠાવ્યો હતો કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા શા માટે કરવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધીએ તાજેતરમાં કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ, વડાપ્રધાને નહીં.રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આવો જ સવાલ ઉઠાવ્યો છે. એટલું જ નહીં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ પણ આ ઘટનાને ટાળી શકે છે તેવી ચર્ચા છે. અગાઉ 2020માં જ્યારે સંસદ ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, ત્યારે પણ ઘણી પાર્ટીઓએ તેનો બહિષ્કાર કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિપક્ષને પણ સંસદ ભવનનાં ઉદ્ઘાટનની તારીખ સામે વાંધો છે. 28મી મેના રોજ સંસદનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને વીર સાવરકરની જન્મજયંતિ પણ આ દિવસે જ છે. કોંગ્રેસ વીર સાવરકરને નિશાન બનાવી રહી છે અને તેમને સાંપ્રદાયિક રાજનીતિ સાથે સંકળાયેલી વ્યક્તિ ગણાવી રહી છે. આવી સ્થિતિમાં, આ તેના માટે એક બહાનું પણ બની શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે સંસદના ઉદ્ઘાટનની માંગ પણ ઉઠી રહી છે. હાલમાં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ આ અંગે ચર્ચા કરી રહી છે અને સામૂહિક સહમતિ બનાવીને કાર્યક્રમનો બહિષ્કાર કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code