1. Home
  2. ગુજરાતી
  3. જેલોમાં બંધ 4200 કેદીઓની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા કમિટીએ શરૂ કર્યાં પ્રયાસો
જેલોમાં બંધ 4200 કેદીઓની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા કમિટીએ શરૂ કર્યાં પ્રયાસો

જેલોમાં બંધ 4200 કેદીઓની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા કમિટીએ શરૂ કર્યાં પ્રયાસો

0
Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી કાનૂની સેવા સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે. આ સમિતિ દેશભરના એવા તમામ કેદીઓને કાનૂની સહાય પૂરી પાડશે જેઓ મુક્ત થવાને પાત્ર હોવા છતાં હજુ પણ જેલમાં છે. ત્રણ મહિનાની લાંબી કવાયત પછી, આવા કેદીઓની સંખ્યા 4200 થી વધુ હોવાનું જાણવા મળ્યું હતું.

સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ ન્યાયાધીશ સૂર્યકાન્તે તમામ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળો અને હાઇકોર્ટ કાનૂની સેવા સમિતિઓના અધ્યક્ષો સાથે વાત કરી હતો. તેમજ તેમણે નિર્દેશ આપ્યો કે આવા કેદીઓની ફાઇલો સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિને મોકલવામાં આવે જેથી તેમને કાનૂની સહાય પૂરી પાડી શકાય અને તેમના વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકાય.

તમામ રાજ્યોના જેલ મહાનિર્દેશક અને હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિના પ્રયાસોથી, કેદીઓની 3 શ્રેણીઓ ઓળખવામાં આવી છે. જેમની અપીલ હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. જે લોકોએ કાયદા દ્વારા નિર્ધારિત મહત્તમ સજાના અડધાથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે અને હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા નથી. રાજ્ય સરકાર દ્વારા સજા રદ કરવાની અરજી ફગાવી દેવામાં આવી છે અને હાઈકોર્ટે પણ અરજી ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિ માને છે કે આ બધા કેદીઓને કાનૂની સહાયની જરૂર છે. આ કેદીઓ કદાચ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકતા નથી. આવી સ્થિતિમાં, સમિતિએ તેમની કેસ ફાઇલ અને તેમના અંગે જારી કરાયેલા આદેશોની પ્રમાણિત નકલ મંગાવી છે. સમિતિએ એમ પણ કહ્યું કે આ એક વખતની પ્રક્રિયા નથી. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને હાઇકોર્ટ સમિતિએ સતત એવા કેદીઓને ઓળખવા જોઈએ જેમને કાનૂની સહાયની જરૂર હોય. ન્યાયાધીશ સૂર્યકાન્તે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેલમાં બંધ કેદીઓને તેમના કાનૂની અધિકારો અને તેનો લાભ લેવા માટે ઉપલબ્ધ વિકલ્પો વિશે સતત માહિતગાર રહેવું જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code