1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં પ્રતિબંધિત તહરીક-એ-લબ્બૈકના 900 કટ્ટરપંથીઓની અટકાયત
પાકિસ્તાનમાં પ્રતિબંધિત તહરીક-એ-લબ્બૈકના 900 કટ્ટરપંથીઓની અટકાયત

પાકિસ્તાનમાં પ્રતિબંધિત તહરીક-એ-લબ્બૈકના 900 કટ્ટરપંથીઓની અટકાયત

0
Social Share

પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકારના એક તાજેતરના નિર્ણય બાદ દેશમાં આતંકવાદીઓની સંખ્યા અચાનક વધી ગઈ છે. સરકારના એક આદેશના પરિણામે આશરે 2000 જેટલા કટ્ટરપંથી આતંકવાદી હવે પાકિસ્તાનની અંદર સક્રિય બન્યા છે. આ બધા જ લોકો તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) નામના કટ્ટર ઇસ્લામી સંગઠન સાથે સંકળાયેલા છે.

અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકારે પંજાબ પ્રાંતની ભલામણ પર તહરીક-એ-લબ્બૈકને આતંકી સંગઠન જાહેર કર્યું છે. આ નિર્ણય બાદ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ સંગઠનના લિસ્ટેડ સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. પંજાબ સરકારએ આ સંગઠનના 2000 કરતાં વધુ સભ્યોની યાદી તૈયાર કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 900થી વધુ કાર્યકરોની ધરપકડ થઈ ગઈ છે. તેમ છતાં સંગઠનનો મુખ્ય નેતા સાદ રિઝવી હજી પણ ફરાર છે, જેને કારણે પાકિસ્તાની સેના માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે.

તહરીક-એ-લબ્બૈક પર પ્રતિબંધ બાદ શક્યતા છે કે સંગઠન હવે ગુપ્ત રીતે સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરે. જો એવું થાય, તો ખાસ કરીને પંજાબ પ્રાંતમાં તંગદિલી અને હિંસા વધવાની સંભાવના છે. હાલમાં પાકિસ્તાનના અન્ય ભાગોમાં પણ પરિસ્થિતિ અશાંત છે, બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)ના હુમલાઓ ચાલુ છે, જ્યારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ની આતંકી પ્રવૃત્તિઓ વધી રહી છે.

પાકિસ્તાન સરકારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે સંગઠને શાંતિના માર્ગને છોડીને હિંસાનો માર્ગ અપનાવ્યો છે, જેના કારણે તેને તત્કાલ અસરથી પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. ટી.એલ.પી.ને પાકિસ્તાનના બંધારણના કલમ 4 હેઠળ આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આંતરિક અશાંતિ ફેલાવનાર સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પ્રાવધાન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code