1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય અને સ્વિગી વચ્ચે કરાર, રોજગારીની નવી તકો ઉભી થશે
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય અને સ્વિગી વચ્ચે કરાર, રોજગારીની નવી તકો ઉભી થશે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય અને સ્વિગી વચ્ચે કરાર, રોજગારીની નવી તકો ઉભી થશે

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે રોજગાર ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય કારકિર્દી સેવા (NCS) હેઠળ સ્વિગી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ‘અમે ખાનગી ક્ષેત્ર સહિત વિવિધ સંસ્થાઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવાની સિસ્ટમ શરૂ કરી છે. મને ખુશી છે કે આ પ્લેટફોર્મ્સ સાથે ભાગીદારી કરવાથી બંને પક્ષો માટે જીતની સ્થિતિ ઊભી થશે. ઉદ્યોગોમાં પ્રકારનું માનવશક્તિની જરૂર છે, તે અહીંથી ઉપલબ્ધ થશે અને નોકરી શોધનારાઓને તકો માટે એક મજબૂત પ્લેટફોર્મ મળશે.

તેમણે કહ્યું હતું કે, ‘સ્વિગી દેશના 500 થી વધુ શહેરોમાં કામ કરી રહી છે, જે લોકોને રોજગારી પૂરી પાડી રહી છે. આ કારણે અમે ખાનગી કંપનીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરી રહ્યા છીએ. આ એમઓયુ હેઠળ, કોઈપણ કંપની જેને માનવશક્તિની જરૂર હોય તે મેળવી શકશે. આગામી 2-3 વર્ષમાં સ્વિગી લાખો લોકોને નોકરીઓ પૂરી પાડશે. આ માટે હું તેમનો આભાર માનું છું.’

આ મામલે સ્વિગીના ઓપરેશન્સ ઇન્ચાર્જ સલભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ‘આજે અમે સરકાર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. મેં મંત્રી મનસુખ માંડવિયા પાસેથી NCS વિશે સાંભળ્યું, જેનાથી અમારો ઉત્સાહ વધુ વધી ગયો છે. સ્વિગી એક એવું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા ઘણી રોજગારીનું સર્જન થાય છે. છેલ્લા 11 વર્ષમાં, લાખો લોકો અમારી સાથે જોડાયા છે અને ડિલિવરી પાર્ટનર બન્યા છે. તેમનું જીવનધોરણ પણ ઉત્તમ છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આગામી વર્ષોમાં પહેલા કરતાં વધુ લોકો અમારી સાથે જોડાશે અને NCS દ્વારા લોકોને મળી શકશે. જેનાથી સ્વિગીને ફાયદો થશે અને ભારતના યુવાનોને રોજગારની તકો મળશે. અમે સરકારના વિઝનને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.’

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code