1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબાજી ભાદરવી પૂનમ મહામેળો : 30 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો : 30 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો : 30 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

0
Social Share

અંબાજી :  ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજીમાં લાખો ભક્તજનો ઉમટી રહ્યા છે. મેળાના પાંચમા દિવસે જ 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરવાનો લાભ લીધો હતો. આ વર્ષે મેળાની વિશેષતા તરીકે સૌપ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો. આ શોમાં અંબાજી માતાજીની આકૃતિ, ત્રિશૂલ અને શક્તિના પ્રતીકો સહિતની અદ્ભુત રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ અવિસ્મરણીય દૃશ્યો જોઈને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.

મેળા દરમિયાન સેવા અને સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈકર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે તંત્ર દ્વારા સ્વચ્છતા, સુરક્ષા અને સુવિધાઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી ભક્તજનોને કોઈ તકલીફ ન પડે. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો પૂરબહારમાં ચાલી રહ્યો છે. આ મેળામાં માતાજીના મનભાવન પ્રસાદ, મોહનથાળનું અવિરત વિતરણ થઈ રહ્યું છે. આ પ્રસાદ એટલો પ્રખ્યાત છે કે દર વર્ષે મેળા દરમિયાન 1000 થી 1200 જેટલા મોટા જથ્થામાં તેનું ઉત્પાદન કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code