1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અરવલ્લીઃ પદયાત્રીઓની સુરક્ષા માટે માલપુર-શામળાજી માર્ગ ‘વન-વે’ જાહેર કરાયો
અરવલ્લીઃ પદયાત્રીઓની સુરક્ષા માટે માલપુર-શામળાજી માર્ગ ‘વન-વે’ જાહેર કરાયો

અરવલ્લીઃ પદયાત્રીઓની સુરક્ષા માટે માલપુર-શામળાજી માર્ગ ‘વન-વે’ જાહેર કરાયો

0
Social Share

ગાંધીનગરઃ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને કારણે અરવલ્લી જિલ્લામાં પદયાત્રીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને અકસ્માતની ઘટનાઓ ટાળવા માટે, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજેતરમાં જ બનેલી એક દુઃખદ અકસ્માતની ઘટનામાં બે પદયાત્રીઓના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ તંત્ર સજાગ બન્યું છે અને હવે માલપુરથી શામળાજી તરફનો માર્ગ ‘વન-વે’ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી વાહનવ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને માર્ગ પર અલગ અલગ જગ્યાએ પોલીસ બેરિકેટ્સ મૂકી દેવામાં આવ્યા છે.

આ વ્યવસ્થાથી વાહનો અને પદયાત્રીઓનો ટ્રાફિક અલગ અલગ થઈ જશે, જેનાથી અકસ્માત થવાની શક્યતામાં ઘટાડો થશે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રનો આ નિર્ણય પદયાત્રીઓ માટે સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા માટેનું એક પ્રશંસનીય પગલું છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code