1. Home
  2. ગુજરાતી
  3. બારાબંકી: કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહિલા સહિત ચાર વ્યક્તિના મોત
બારાબંકી: કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહિલા સહિત ચાર વ્યક્તિના મોત

બારાબંકી: કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહિલા સહિત ચાર વ્યક્તિના મોત

0
Social Share

લખનૌઃ યુપીના બારાબંકી જિલ્લાના રામનગર કોતવાલી વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ, બારાબંકી-બહરાઇચ હાઇવે પર ધનૌરા વળાંક નજીક અંચલ ચંચલ ધાબા પાસે એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલી એક મહિલા સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બે બાળકો સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, તમામ મૃતકોની ઓળખ થઈ ગઈ છે. ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ સીએચસી રામનગરથી જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં સર્કલ ઓફિસર (સીઓ) ગરિમા પંતે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ઇન્સ્પેક્ટર અનિલ કુમાર પાંડેએ જણાવ્યું કે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ અન્ય મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ગોંડાના પ્રોપર્ટી ડીલર રામશંકર મૌર્ય, તેમની પત્ની, પુત્ર અને પુત્રી અને સાળા સુધીર કુમાર, સુધીર કુમારની પત્ની શાંતિ દેવી સાથે કાર દ્વારા કાનપુરથી ગોંડા પરત ફરી રહ્યા હતા. સોમવારે સવારે રામનગર કોતવાલી વિસ્તારમાં બારાબંકી બહરાઇચ હાઇવે પર ટ્રક સાથે કાર અથડાતાં રામશંકર મૌર્ય, સુધીર, સુધીરની પત્ની શાંતિ અને ડ્રાઇવર અયાનનું મોત નીપજ્યું હતું. રામશંકરની પુત્રી, પુત્ર અને પત્ની ગંભીર રીતે ઘાયલ થયા છે. જિલ્લા હોસ્પિટલમાં તેમને મળેલા પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે કાનપુરમાં સગાઈનો કાર્યક્રમ હતો જ્યાં આખો પરિવાર અને સંબંધીઓ ત્રણ-ચાર વાહનોમાં ગયા હતા. રામશંકર ગોંડાના શહેર કોતવાલીના ખેરવાના રહેવાસી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code