
- ગૌરક્ષકોએ પશુ ભરેલી ગાડી રોકીને હોબાળો મચાવ્યો
- જોતજોતામાં બે જુથો આમને-સામને આવી ગયા
- DCP, ACP સહિત પોલીસ કાફલાએ દોડી જઈ લાઠીચાર્જ કરીને સ્થિતિ અંકૂશમાં લીધી
અમદાવાદઃ શહેરના દિલ્હી દરવાજા નજીક ગત મોડી રાતે એક પશુ ભરેલો ટેમ્પોને ગૌરક્ષકોએ રોકીને બોલાચાલી બાદ બે જુથો આમને-સામને આવી ગયા હતા. અને સામસામે નારાબાજી કરતા વાતાવરણ તંગ બન્યું હતું. સ્થિતિ વણસે તે પહેલા આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. દરમિયાન ડીસીપી, એસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અને ટોળાંને સમજાવીને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પણ લોકોના ટોળા ન વિખરાતા પોલીસે હળવો લાઠીચાર્જ કરતા ભાગડોદ મચી હતી. પોલીસે બળનો ઉપયોગ કરીને મામલો શાંત પાડ્યો હતો.
આ બનાવની વિગતો એવી છે કે, અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા નજીક 29 મેની મોડીરાતે ગૌરક્ષકોએ એક ગાડીને રોકી હતી. આ ગાડીમાં પક્ષુઓ હોવાના આરોપ સાથે ગૌરક્ષકોએ હોબાળો મચાવ્યો હતો. દરમિયાન બે જૂથના લોકો આમને-સામને આવી ગયો હતા. અને સામસામે નારાબાજી કરી હતી. બંને જૂથ વચ્ચે ઘર્ષણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને હળવો લાઠીચાર્જ કરીને લોકોના ટોળાંને વિખેર્યા હતા. બનાવની જાણ થતા જેસીપી, ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના દિલ્હી દરવાજા પાસે ગૌરક્ષકોએ પશુ ભરેલા ટેમ્પાને રોક્યો હતો, જેથી બે જૂથના લોકો આમને-સામને આવી ગયા હતા. અને. બે જૂથના લોકોએ સામસામે સૂત્રોચાર કર્યા હતા. જોકે પોલીસે જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર લાઠીચાર્જ પણ કર્યો હતો. કેટલાક લોકોને સમજાવીને પણ પરત વાળવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.