1. Home
  2. ગુજરાતી
  3. યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી હાલ પૂરતી મુલત્વી રખાઈ

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી હાલ પૂરતી મુલત્વી રખાઈ

0
Social Share

નવી દિલ્હીઃ કેરળની નર્સ નિમિષા પ્રિયા અંગે યમનથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. એક અહેવાલ મુજબ, નિમિષાની ફાંસી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. તેણીને 16 જુલાઈએ ફાંસી આપવાની હતી. ભારત સરકાર આ કેસ અંગે ખૂબ પ્રયાસ કરી રહી હતી, આખરે ફાંસી મુલતવી રાખવામાં આવી છે. યમનની એક કોર્ટે નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. તે 2017 થી યમનમાં જેલમાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નિમિષા પ્રિયા પર યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા કરવાનો આરોપ હતો. આ કેસમાં તેણીને પણ દોષી ઠેરવવામાં આવી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણીએ મહદીને પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું હતું અને દવાના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં નિમિષાને કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી.

ખરેખર, કેરળના પલક્કડની રહેવાસી નિમિષા લગભગ બે દાયકા પહેલા તેના પતિ અને પુત્રી સાથે યમન ગઈ હતી. તે અહીં કામ કરતી હતી. યમનમાં ગૃહયુદ્ધને કારણે 2016 માં દેશની બહાર જવા પર પ્રતિબંધ હતો, પરંતુ તે પહેલાં તેના પતિ અને પુત્રી 2014 માં ભારત પાછા ફર્યા હતા. નિમિષા પરત ફરી શકી ન હતી. આ પછી, 2017 માં તેના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code