
આસામના પૂર્વ મંત્રીની પુત્રીએ બીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી, પોલીસ તપાસમાં જોતરાઈ
ગુવાહાટઃ આસામના ભૂતપૂર્વ ગૃહમંત્રી સ્વર્ગસ્થ ભૃગુ કુમાર ફુકનની એકમાત્ર પુત્રીએ કથિત રીતે આત્મહત્યા કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રવિવારે ગુવાહાટીના ખારઘુલી વિસ્તારમાં ઉપાસના ફુકન (ઉ.વ 28) એ તેના ઘરના બીજા માળેથી કૂદી પડી હતી. ઉપાસના તેની માતા સાથે રહેતી હતી. “તેમને તાત્કાલિક ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.,” અમે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે અને તપાસ કરી રહ્યા છીએ.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે લાંબા સમયથી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતી હતી અને તેની સારવાર ચાલી રહી હતી. “તેણે અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.“ ગઈકાલે, જ્યારે તેની માતા ઘરના કામકાજમાં વ્યસ્ત હતી, ત્યારે તેણે કથિત રીતે ઘરના બીજા માળેથી કૂદી હતી. તેમણે કહ્યું કે ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. ભૃગુ કુમાર ફુકનનું 2006 માં અવસાન થયું હતું. તેઓ 1985 માં પ્રથમ આસામ ગણ પરિષદ (AGP) સરકારમાં ગૃહમંત્રી હતા. તેઓ આસામ કરારના હસ્તાક્ષરકર્તાઓમાંના એક હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, આસામના કૃષિ મંત્રી અને AGP પ્રમુખ અતુલ બોરાએ કહ્યું, “ઐતિહાસિક આસામ ચળવળના અગ્રણી નેતા, AGPના વરિષ્ઠ નેતા અને આસામના ભૂતપૂર્વ ગૃહમંત્રી સ્વર્ગસ્થ ભૃગુ કુમાર ફુકનની પુત્રી ઉપાસના ફુકનના અકાળ અને દુર્ભાગ્યપૂર્ણ અવસાનથી હું ખૂબ જ દુઃખી છું.” તેમણે પોસ્ટમાં લખ્યું, “દુઃખની આ ઘડીમાં, હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ભગવાનને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.