1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-મહેસાણા હાઈવે પર અડાલજ બ્રિજ નીચે હીટ એન્ડ રન, બાઈકસવાર દંપત્તીનું મોત
અમદાવાદ-મહેસાણા હાઈવે પર અડાલજ બ્રિજ નીચે હીટ એન્ડ રન, બાઈકસવાર દંપત્તીનું મોત

અમદાવાદ-મહેસાણા હાઈવે પર અડાલજ બ્રિજ નીચે હીટ એન્ડ રન, બાઈકસવાર દંપત્તીનું મોત

0
Social Share

ગાંધીનગર, 24 માર્ચ 2026: Biker couple dies in hit-and-run   રાજ્યમાં પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અડાજલ નજીક બન્યો છે. અમદાવાદ મહેસાણા હાઈવે અડાલજ બટર ફ્લાય બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કલોલ ખાતે સંબંધીના ઘરે ખબર પૂછીને પરત અમદાવાદ જઈ રહેલા બાઇક સવાર દંપતીને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત દંપતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના કાંકરિયા પુરાણી હાઉસિંગ સોસાયટીમાં રહેતા વિજયભાઈ હરીશભાઈ શ્રીમાળી કઠવાડા ખાતે એલ્યુમીનીયમ ભંગારની દલાલીનુ કામ કરે છે. જ્યારે તેમના નાના ભાઈ જયેશભાઈ અને તેની પત્ની શિલ્પાબેનને સંતાનમાં 12 વર્ષીય પુત્ર આલોક અને છ વર્ષીય પુત્ર કેવલ છે. ગઈકાલે રવિવારે બપોરના બંને ભાઈઓ પોતાની પત્નીઓ સાથે અલગ અલગ બાઇક લઇને કલોલ ખાતે રહેતા તેમના કાકાના ઘરે ખબર અંતર પૂછવા માટે ગયા હતા. બાદમાં રાત્રિના સમયે ચારેય જણા ઘરે પરત જવા નીકળ્યા હતાં. તે વખતે આશરે રાત્રીના સવા દસેક વાગે મહેસાણાથી અમદાવાદ શેરથા ટોલટેક્ષ ઉપર ટ્રાફીક વધુ હોવાથી જયેશ અને શિલ્પાબેન બાઇક પર આગળ નીકળી ગયા હતાં. ત્યારે અડાલજ બટર ફ્લાય ઓવરબ્રિજ નીચે જયેશભાઈના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર જયેશભાઈ અને તેમના પત્ની શિલ્પાબેન રોડ પર પટકાયા હતા. દરમિયાન પાછળ આવી રહેલા વિજયભાઈએ ઘટનાસ્થળે પહોંચીને જોયું તો તેમના ભાઈ અને ભાભીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંને નિસ્તેજ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જ્યારે ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો.

આ બનાવમાં સ્થાનિક લોકોની મદદથી દંપત્તીને  તાત્કાલિક સારવાર માટે પ્રયાસો હાથ ધરાયા હતા. પરંતુ પતિ પત્નીના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા અડાલજ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને મૃતક દંપતીના મૃતદેહોને અડાલજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વિજયભાઈની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code