
- ભક્તોને પીરસાતી ભોજનની થાળીના ભાવ રૂપિયા 30થી વધારી 60 કરી દેવાયા,
- ભોજનની પ્રસાદી વિનામૂલ્યે આપવા ભક્તોએ કરી માગ,
- 1લી સપ્ટેમ્બરથી નવા ભાવ લાગુ કરી દેવાયા
મહેસાણાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં દર્શને આવતા યાત્રિકોને હવે ભોજન લેવું મોંઘું પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદના દરમાં વધારો કરવામાં આવ્યો છે, પૂજન પ્રસાદમાં લાડુ ઉમેરી થાળીનો દર 30 રૂપિયાથી વધારીને 60 રૂપિયા કરી દેવામાં આવ્યો છે બહુચરાજી મંદિરમાં વાર્ષિક દાનની કરોડોમાં આવક થતી હોય અંબાજીના જેમ બહુચરાજીમાં પણ વિના મૂલ્ય ભોજન પ્રસાદની સુવિધા કરવામાં આવે તેવી માગ ભાવિકોમાં ઊઠી છે.
બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત બહુચર ભોજનાલયમાં ભોજન પ્રસાદમાં થાળીનો દર 30 રૂપિયાથી વધારીને 60 રૂપિયા કરવામાં આવ્યો છે બહુચર ભોજનાલયમાં અત્યાર સુધી 2018 ના ટેન્ડર મુજબ બપોરે 30 રૂપિયામાં ભોજન પ્રસાદ અપાતો હતો અને રાત્રે માત્ર 24 રૂપિયામાં ભોજન પ્રસાદ અપાતો હતો તાજેતરમાં જેમ પોર્ટલ મારફતે નવા કરાયેલા ટેન્ડરમાં નવી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં બપોરનું ભોજન લાડુ સાથે થાળીદાર રૂપિયા 60 અને રાત્રી ભોજન પ્રસાદનો થાળીદાર રૂપિયા 36 નક્કી કરવામાં આવ્યો છે અને આ નવા દર એક સપ્ટેમ્બરથી લાગુ કરી દેવામાં આવ્યા છે.
બહુચરાજી મંદિરમાં વર્ષ 2018ના ટેન્ડર પ્રમાણે અગાઉ 30 રૂપિયામાં ભોજન આપવામાં આવતું હતું જેના દર અત્યારે 60 રૂપિયા કરવામાં આવતા દૂર દૂરથી આવતા યાત્રિકોને પણ આંચકો લાગ્યો છે દૂર દૂરથી યાત્રિકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે, જેમની ઈચ્છા હોય છે કે તે માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે અને અગાઉ 30 રૂપિયા થાળીદાર હોવાથી યાત્રિકો ભોજન પ્રસાદ લેતા હતા પરંતુ નવા ટેન્ડર પ્રમાણે એજન્સીએ 60 રૂપિયા ભાવ કરાતા ક્યાંક યાત્રિકોમાં આંચકો અનુભવાયો છે. માતાજીના દર્શને આવતા યાત્રિકોને ઈચ્છા હોય છે કે તે માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે તેમની ઈચ્છા પૂરી થાય તે માટે બહુચરાજી મંદિર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભોજનમાં લાડુ ફરજિયાત કરવામાં આવ્યો છે, જેથી યાત્રિકોને મા બહુચરના પ્રસાદનો લાભ મળી રહે બહુચરાજી મંદિરના ભોજનાલયમાં વર્ષે અંદાજે 5.50 લાખથી પણ વધુ યાત્રિકો ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે, બહુચરાજી મંદિરમાં વર્ષે 10 કરોડથી વધુ અંદાજિત દાનની આવક થાય છે. જેથી અંબાજીની જેમ બહુચરાજીમાં પણ યાત્રિકોને વિનામૂલ્ય ભોજન પ્રસાદ આપવામાં આવે તેવી લાગણી યાત્રિકો વ્યક્ત કરી રહ્યા છે.