1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભગવાન જગન્નાથજી ભાવિકોને દર્શન આપવા માટે પરિક્રમાએ નિકળ્યા, દર્શન માટે લોકો ઉમટી પડ્યાં
ભગવાન જગન્નાથજી ભાવિકોને દર્શન આપવા માટે પરિક્રમાએ નિકળ્યા, દર્શન માટે લોકો ઉમટી પડ્યાં

ભગવાન જગન્નાથજી ભાવિકોને દર્શન આપવા માટે પરિક્રમાએ નિકળ્યા, દર્શન માટે લોકો ઉમટી પડ્યાં

0
Social Share
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિન્દ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો,
  • વહેલી પરોઢે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી,
  • 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા સાથે થયાત્રાનો પ્રારંભ

અમદાવાદઃ આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી ભાવિકોને દર્શન આપવા માટે શહેરની પરિક્રમાએ નીકળતા ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જગન્નાથજી મંદિરમાં રથયાત્રાના પ્રારંભ પહેલા આજે વહેલી પરોઢે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી માર્ગ સાફ કરીને અમદાવાદની 148મી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રથયાત્રા પહેલા મંગળા આરતી કરી હતી. આ સાથે આ વર્ષે ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. ભક્તોમાં ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

ભગવાનની રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. આ સાથે www.jagannathjiahd.org વેબસાઇટ પર ભક્તો ઓનલાઈન રથયાત્રાના દર્શનનો પણ લાભ લઈ શકશે.

શહેરના જમાલપુર જગન્નાથ મંદિરના મહંત જગતગુરુ દિલીપદાસજી મહારાજ AMC ઓફિસ ખાતે પહોંચ્યા છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના ભાજપના પદાધિકારીઓ, વિપક્ષના નેતા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code