1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રઃ કુખ્યાત નક્સલી વેણુગોપાલ રાવ સહિત અન્ય 60 નક્સલવાદીઓએ હથિયાર હેઠાં મુક્યાં
મહારાષ્ટ્રઃ કુખ્યાત નક્સલી વેણુગોપાલ રાવ સહિત અન્ય 60 નક્સલવાદીઓએ હથિયાર હેઠાં મુક્યાં

મહારાષ્ટ્રઃ કુખ્યાત નક્સલી વેણુગોપાલ રાવ સહિત અન્ય 60 નક્સલવાદીઓએ હથિયાર હેઠાં મુક્યાં

0
Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસને નક્સલવાદ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. ખતરનાક નક્સલવાદી મલ્લૌજુલા વેણુગોપાલ રાવ (સોનુ)એ અન્ય 60 નક્સલવાદીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.

ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં, પોલીસ નક્સલવાદીઓ સામે લાંબા સમયથી કાર્યવાહી કરી રહી છે. દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું અભિયાન ચાલુ છે. આ પ્રયાસમાં, ઘણા નક્સલવાદીઓ સતત આત્મસમર્પણ કરી રહ્યા છે.

સોનુએ ગયા સપ્ટેમ્બરમાં એક પ્રેસ રિલીઝમાં હથિયારો છોડી દેવાનો સંકેત આપ્યો હતો. છત્તીસગઢમાં ઘણા નક્સલવાદી કેડરોએ પણ તેમને ટેકો આપ્યો હતો. સોનુએ 60 નક્સલવાદીઓ સાથે હિંસાનો માર્ગ કાયમ માટે છોડી દીધો.

નક્સલીઓના શરણાગતિ અંગે વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, “સીપીઆઈ/માઓવાદી સભ્ય મલ્લૌજુલા વેણુગોપાલ રાવ (સોનુ) એ 60 અન્ય માઓવાદીઓ સાથે પોતાના શસ્ત્રો મૂકી દીધા છે. આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્ય સરકારોના નેતૃત્વમાં પોલીસે હાથ ધરેલા ઓપરેશનનું પરિણામ છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code