1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નેશનલ હાઇવે પર વાહનચાલકોએ હવે 5થી 40 રૂપિયાનો વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે
નેશનલ હાઇવે પર વાહનચાલકોએ હવે 5થી 40 રૂપિયાનો વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે

નેશનલ હાઇવે પર વાહનચાલકોએ હવે 5થી 40 રૂપિયાનો વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે

0
Social Share
  • 1લી એપ્રિલથી ટોલ ટેક્સના નવા દર લાગુ થઈ જશે
  • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારનો 140 ટોલ લેવાશે
  • ટોલ ટેક્સમાં વધારા સામે ટ્રાન્સપોર્ટરોનો વિરોધ

અમદાવાદઃ અસહ્ય મોંઘવારીમાં પિસાય રહેલી પ્રજાએ  31મી માર્ચને મઘરાતથી ટોલટેક્સનો વધુ દર ચૂકવવો પડશે, ગુજરાત એસ ટીએ પણ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો છે. ત્યારે ટોલટેક્સના દરમાં વધારાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બનશે, નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂ. પાંચથી 40 સુધીનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી એટલે કે 31મી માર્ચના મધરાત બાદ રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગુ કરાશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, અમદાવાદ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે 48, પાલનપુર નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે.

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ – વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે  ટોલ ટેક્સમાં વધારો થતાં હવે કાર-જીપ ચાલકે રૂપિયા 135ના બદલે 140 રૂપિયા, રિટર્નમાં રૂપિયા 205ના બદલે રૂપિયા 215, એલસીવીના રૂપિયા 220ના બદલે 230, રિટર્નમાં રૂપિયા 330ના બદલે રૂપિયા 345 અને બસ-ટ્રકના ચાલકે રૂપિયા 465ના બદલે રૂપિયા 480 અને રિટર્નમાં 720ના બદલ 760 રૂપિયા પડશે.

જ્યારે  વડોદરાથી આણંદના કારના રૂ.50ના બદલે હવે રૂ.55 અને નડિયાદના રૂ.70ના બદલે રૂ.75 ચૂકવવા પડશે. નેશનલ હાઇવે 48 ઉપર રઘવાણજ ટોલ પ્લાઝા ખાતે કાર – જીપના હવે રૂ.110 અને એલસીવીના રૂ.175 અને બસ – ટ્રકના રૂ.360 ચૂકવવા પડશે. જ્યારે વાસદથી વડોદરાના કાર – જીપના રૂ.160, એલસીવીના રૂ.245 અને બસ ટ્રકના રૂ.505 ચૂકવવા પડશે. પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઇવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે 31 માર્ચે રાતે 12  વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code