1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાન: દૌસા નજીક બોરવેલમાં પડી ગયેલા આર્યનનું મોત
રાજસ્થાન: દૌસા નજીક બોરવેલમાં પડી ગયેલા આર્યનનું મોત

રાજસ્થાન: દૌસા નજીક બોરવેલમાં પડી ગયેલા આર્યનનું મોત

0
Social Share

જયપુરઃ રાજસ્થાનના દૌસા જિલ્લામાં બોરવેલમાં પડી ગયેલા બાળકનું મોત નીપજ્યુ છે. આર્યનના મૃત્યુ અંગે ચીફ મેડિકલ ઓફિસર દીપક શર્માએ જણાવ્યું હતું કે બાળકના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી અને એવું લાગે છે કે તે પડી ગયા પછી કોઈ સખત વસ્તુ સાથે અથડાયો હશે. ચીફ મેડિકલ ઓફિસરે કહ્યું, લાંબા સમય સુધી આવા બોરવેલમાં રહેવાને કારણે બાળકને ખૂબ જ તકલીફ પડી, જેના કારણે તેની હાલત નાજુક બની ગઈ.તેણે કહ્યું, જ્યારે બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો, ત્યારે તેને જીવંત હોવાની આશા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ, જ્યારે અમે ECG કર્યું ત્યારે જાણવા મળ્યું કે બાળક હવે મરી ગયું છે. આ ઉપરાંત લાંબા સમય સુધી ખાધા વિના રહેવાને કારણે પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે શરીર પર કોઈપણ પ્રકારની ઈજાના નિશાન જોવા મળ્યા નથી. પરંતુ, એવું લાગે છે કે બોરવેલમાં પડ્યા પછી તેણે કોઈ સખત વસ્તુને ટક્કર મારી હશે.તેમણે કહ્યું, હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ બાકીની વાત સ્પષ્ટ થશે.

સુત્રોના જણાવ્યા અનુસાર આર્યનને 56 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ, તેને બચાવી શકાયો ન હતો. તેને બોરવેલમાંથી બહાર કાઢવા માટે ઊંડી ખોદકામ પણ કરવામાં આવ્યું હતું. 9 ડિસેમ્બરથી બચાવ કામગીરી ચાલી રહી હતી. આ અકસ્માત બાળકના ઘરથી લગભગ 100 ફૂટ દૂર થયો હતો. 9મી ડિસેમ્બરની રાત્રે લગભગ 2 વાગ્યા પછી બોરવેલ પર બાળકની કોઈ હિલચાલ જોવા મળી ન હતી.

બાળકને બચાવવા માટે બોરવેલ પાસે 125 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. દરમિયાન ખાડો ખોદવાનું મશીન પણ તૂટી ગયું હતું. જેના કારણે કેટલાક કલાકો સુધી બચાવ કામગીરી ખોરવાઈ ગઈ હતી. બોરવેલની અંદરની માટી અંદર ખાબકી હતી અને બાળક પર પડી હતી. આ પછી, દૌસા જિલ્લા મેજિસ્ટ્રેટ દેવેન્દ્ર કુમારની હાજરીમાં બાળકને હૂકમાંથી બહાર કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી. બોરવેલ પાસે મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. બાળક બહાર આવતાની સાથે જ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તપાસમાં મૃત્યુની પુષ્ટિ થઈ હતી.

આર્યનની માતા ગુડ્ડી દેવીએ, પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, વહીવટીતંત્ર બાળકને સમયસર મદદ આપવામાં નિષ્ફળ રહ્યું. ગ્રામજનોએ ખુલ્લા બોરવેલની સમસ્યા અંગે પગલાં લેવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.નોંધનીય છે કે, આર્યન સોમવારે બપોરે 3 વાગ્યે ઘરથી 100 ફૂટ દૂર ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. તે તેની માતા સાથે રમી રહ્યો હતો પરંતુ અચાનક બોરવેલમાં પડી ગયો. પરિવારનું કહેવું છે કે, ત્રણ વર્ષ પહેલા બોરવેલ ખોદવામાં આવ્યો હતો પરંતુ મોટર ફસાઈ જવાના કારણે તે બંધ થયો ન હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code