
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી “તમારી મૂડી, તમારા અધિકારો” અભિયાન શરૂ કર્યું
ગાંધીનગર: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી “તમારી મૂડી, તમારા અધિકારો” અભિયાન શરૂ કર્યું. આ અભિયાનનો ઉદ્દેશ્ય નાણાકીય વ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં પડેલી દાવા વગરની નાણાકીય સંપત્તિનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવાનો છે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ અભિયાન તેમના કાયદેસર દાવેદારોને દાવા વગરની થાપણોનું વાજબી વળતર સુનિશ્ચિત કરશે.
આ પ્રસંગે, ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ અભિયાનને નાગરિક-કેન્દ્રિત શાસનના માપદંડ તરીકે વર્ણવ્યું. તેમણે ખાતરી આપી કે ગુજરાતમાં વિવિધ નાણાકીય સંસ્થાઓમાં પડેલી દાવા વગરની સંપત્તિનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.
આગામી ત્રણ મહિનામાં, આ અભિયાન દેશના દરેક જિલ્લામાં શરૂ કરવામાં આવશે. હાલમાં દેશભરની વિવિધ નાણાકીય સંસ્થાઓ પાસે 1 લાખ 82 હજાર કરોડ રૂપિયાની દાવા વગરની સંપત્તિઓ પડી છે. આ કાર્યક્રમ દરમિયાન, ઘણા દાવેદારોને તેમની દાવા વગરની સંપત્તિઓ પરત કરવાની પુષ્ટિ કરતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.