1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જુનાગઢ-પોરબંદર હાઈવે પર 2.5 કિલો સોનું, 5 કિલો ચાંદી અને અઢી લાખ રોકડની લૂંટ
જુનાગઢ-પોરબંદર હાઈવે પર 2.5 કિલો સોનું, 5 કિલો ચાંદી અને અઢી લાખ રોકડની લૂંટ

જુનાગઢ-પોરબંદર હાઈવે પર 2.5 કિલો સોનું, 5 કિલો ચાંદી અને અઢી લાખ રોકડની લૂંટ

0
Social Share
  • કારમાં પંકચર પડ્યુ ને પેઢીના બે સેલ્સમેન લૂંટાયા,
  • હાઈવે પર બાંટવાના પાજોદ ગામ પાસે બન્યો બનાવ,
  • લૂંટારૂઓ પલાયન થયા બાદ પોલીસના ધાડા ઉતરી પડ્યા

જૂનાગઢઃ પોરબંદર-જુનાગઢ હાઈવે પર બાંટવાના પાજોદ ગામ નજીક કારમાં જઈ રહેલા અમદાવાદના ‘કલા ગોલ્ડ’ નામની પેઢીના કર્મચારીઓને છરી બતાવીને રોકડ, સોનું, ચાંદી સહિત રૂપિયા એક કરોડથી વધુ મત્તાની લૂંટ કરીને ત્રણ અજાણ્યા શખસો પલાયન થઈ ગયા હતા. આ લૂંટના બનાવની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર લૂંટના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે.

જૂનાગઢ-પોરબંદર હાઇવે પર મોડી રાત્રે બાંટવાના પાજોદ ગામ નજીક અમદાવાદના બે સેલ્સમેન પાસેથી ત્રણ લૂંટારુઓ સોનું-ચાંદી અને રોકડ લૂંટી ફરાર થયા હતા. મોડી રાત્રે અમદાવાદના બે સેલ્સમેનને છરી બતાવી અને ઢીકાપાટુનો માર મારીને કુતિયાણા તરફથી આવતાં 3 લૂટારુંઓ અઢી કિલો સોનું, પાંચ કિલો ચાંદી અને અઢી લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં એસપી, એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ રોડની નાકાબંધી કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદના માણેકચોકમાં આવેલી કલા ગોલ્ડ પેઢીના સેલ્સમેન ધર્મેન્દ્ર જોશી અને ધનરાજ ભાંગડે કુતિયાણા તરફથી કારમાં  સોમનાથ તરફ જતા હતા તે સમયે બાંટવા-કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા આ બંને સેલ્સમેન ઊભા હતા. ત્યારે અચાનક જ બાઈક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતી. ત્યારે જોતજોતામાં અચાનક જ બે અન્ય ઈસમો આવી છરી બતાવી માર મારીને કારમાંથી અઢી કિલો સોનું, પાંચ કિલો ચાંદી અને 2.50 લાખ રોકડ અને સેલ્સમેના મોબાઈલ મળી કુલ 1 કરોડ 15 લાખ 82 હજારનો મુદ્દામાલ લૂંટી ગયા હતા.આ બનાવની જાણ જૂનાગઢ એસપી એસપી હર્ષદ મહેતાને થતાં લોકલ ક્રાઇમ,બ્રાન્ચ, એસઓજી સહિતનો કાફલો પહોંચ્યો હતો અને સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે આ લૂંટારોઓને પકડવા નાકાબંધી કરી હતી. પોલીસે તપાસ કરતા બાવળના ઝાડી-ઝાંખરામાંથી મોબાઈલ મળી આવ્યા હતા. હાલ પોલીસે આ લૂંટારુઓ કઈ દિશામાં ફરાર થયા છે. એ દિશામાં તપાસ હાથ ધરી છે.

આ લૂંટના બનાવ અંગે ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે, અમદાવાદના બે સેલ્સમેન કુતિયાણાથી સોમનાથ તરફ જતા હતા, ત્યારે પાજોદ બાંટવા રોડ તરફ પહોંચતા એક લૂંટની ઘટના બની હતી. બંને સેલ્સમેન જ્યારે કુતિયાણા તરફથી સોમનાથ તરફ જતા હતા. ત્યારે પાજોદ નજીક એક વ્યક્તિએ આવી તેમની સાથે માથાકૂટ કરી હતી અને બાદમાં અન્ય બે વ્યક્તિઓએ આવી તેની પાસે રહેલું અઢી કિલો સોનું, 5 ચાંદી અને રોકડ અઢી લાખ રૂપિયા લઇ ફરાર થઈ ગયા હતા.

બાંટવા પોલીસે ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ લૂંટની ઘટના પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં લૂંટનો ભોગ બનેલા બંને સેલ્સમેન માણાવદરમાં સોનીની દુકાનમાં માલની ડિલિવરી કરતા નજરે પડે છે. જે ગતરોજ 4.30 વાગ્યે સોનીની દુકાનમાં ડિલિવરી આપી કુતિયાણા ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળાએ લૂંટની ઘટના બની હતી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code