1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 388 ભારતીયો અત્યાર સુધીમાં સ્વદેશ પરત ફર્યા
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 388 ભારતીયો અત્યાર સુધીમાં સ્વદેશ પરત ફર્યા

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 388 ભારતીયો અત્યાર સુધીમાં સ્વદેશ પરત ફર્યા

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમેરીકામાં ગેરકાયદે ધુસણખોરી કરતા પકડાયેલા કુલ 388 લોકો ભારત પરત આવ્યા છે. આમાંથી, 333 લોકો ત્રણ ડિપોર્ટેશન ફ્લાઇટ્સ દ્વારા અમૃતસર પહોંચ્યા અને 55 ભારતીય નાગરિકો કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા અમેરિકાથી પનામા થઈને નવી દિલ્હી પહોંચ્યા.ડેટા દર્શાવે છે કે 5 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરીના રોજ ઉતરેલી ત્રણ ડિપોર્ટેશન ફ્લાઇટમાં ભારત પહોંચેલા 333 ડિપોર્ટીઓમાંથી 126 લોકો (38 ટકા) પંજાબના છે.

આ ઉપરાંત, ૧૧૦ લોકો એટલે કે ૩૩ ટકા હરિયાણાના હતા, જ્યારે ૭૪ લોકો ગુજરાતના, આઠ ઉત્તર પ્રદેશના હતા અને અન્ય લોકો મહારાષ્ટ્ર, ચંદીગઢ, ગોવા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડના હતા.કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પનામા થઈને અમેરિકાથી નવી દિલ્હી પહોંચેલા 55 ભારતીય ડિપોર્ટીઓમાંથી 27 પંજાબના હતા અને હરિયાણાના 22, ઉત્તર પ્રદેશ ના 3, ગુજરાતના 2 અને રાજસ્થાનના 1 નારીકનો સમાવેશ થાય છે .

વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયે દેશનિકાલ કરાયેલા લોકો પર પ્રતિબંધોના ઉપયોગ અંગે પોતાની ચિંતાઓ “ભારપૂર્વક નોંધાવી” છે.તેમણે કહ્યું, “ભારત સરકાર દેશનિકાલ કામગીરી દરમિયાન ભારતીય નાગરિકો સાથે માનવીય વર્તન કરવાની જરૂરિયાત પર યુએસ પક્ષ સાથે વાતચીત કરી રહી છે. મંત્રાલયે 5 ફેબ્રુઆરીના રોજ ઉતરાણ કરેલી ફ્લાઇટમાં દેશનિકાલ કરાયેલા લોકો સાથેના વર્તન, ખાસ કરીને મહિલાઓ પર બેડીઓના ઉપયોગ અંગે યુએસ અધિકારીઓ સમક્ષ પોતાની ચિંતાઓ ભારપૂર્વક વ્યક્ત કરી છે. દેશનિકાલનું આયોજન અને અમલ કરવા માટે નવેમ્બર 2012 થી અમલમાં રહેલી યુએસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, દેશનિકાલ કરાયેલા લોકો પર નિયંત્રણોનો ઉપયોગ કરવાની માંગ કરે છે.”

“યુએસ અધિકારીઓએ સમજાવ્યું છે કે મિશનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. જોકે મહિલાઓ અને સગીરોને સામાન્ય રીતે બેડીઓ બાંધવામાં આવતી નથી, પરંતુ દેશનિકાલ ફ્લાઇટના ઇન્ચાર્જ ફ્લાઇટ ઓફિસર આ મામલે અંતિમ નિર્ણય લે છે,” તેમણે કહ્યું.પોર્ટેશન ફ્લાઇટ્સ માટે લેન્ડિંગ પોઇન્ટ તરીકે અમૃતસરની પસંદગી અંગેના એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ માહિતી આપી કે ડિપોર્ટેશન ફ્લાઇટ્સ માટે લેન્ડિંગ પોઇન્ટ ઓપરેશનલ સુવિધા, ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ માટેના ચોક્કસ માર્ગ અને ખાસ કરીને, આવનારા ડિપોર્ટેશન્સના અંતિમ સ્થળોની નિકટતાના આધારે નક્કી કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code