1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 1100ને વટાવી ગયો, રાજકોટમાં એકનું મોત
ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 1100ને વટાવી ગયો, રાજકોટમાં એકનું મોત

ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 1100ને વટાવી ગયો, રાજકોટમાં એકનું મોત

0
Social Share
  • કોરોનાના 1076 દર્દીઓ હોમ આઇસોલેશનમાં,
  • રાજકોટમાં કોરોનાથી મોતને ભેટેલા વ્યક્તિને ડાયાબિટિસ સહિત અન્ય બિમારીઓ હતી,
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા

 અમદાવાદઃ  ગુજરાતમાં ધીમી ગતિએ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી છે. ત્યારે કોરોનાથી રાજકોટમાં પહેલું મૃત્યુ નોંધાયું છે. ગઈકાલે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત નીપજ્યું હતું. છેલ્લા ચાર દિવસથી દર્દીમાં કોરોનાના લક્ષણો હતા. આ ઉપરાંત મૃતકને ડાયાબિટિઝ સહિત અન્ય બીમારીઓ પણ હતી.

ગુજરાતમાં  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાંથી 33 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં સક્રિય કોવિડ-19 દર્દીઓની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. સૌથી રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કોઈ દર્દીનું મોત થયું નથી અને વધુ 624 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. અગાઉ રવિવારે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત થયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં કોરોનાના કારણે 65 લોકો મોત થયા છે. 22 મે સુધી દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 257 હતી. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ડેટાની વાત કરીએ તો, આ વર્ષે કુલ 6491 એક્ટિવ કેસ નોંધાયેલા છે, જ્યારે 6861 દર્દીઓ સજા પણ થયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત કુલ 65 લોકોએ જીવ ગુમાવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code