1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના નારણપુરામાં બેફામ કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા
અમદાવાદના નારણપુરામાં બેફામ કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા

અમદાવાદના નારણપુરામાં બેફામ કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા

0
Social Share

અમદાવાદ, 30 ડિસેમ્બર 2025: A reckless driver rammed three vehicles in ahmedabad શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના નારણપુરા વિસ્તારમાં વધુ અકસ્માત સર્જાયો હતો. નારણપુરાના ભાવિન ચાર રસ્તા પાસે રોંગસાઈડમાં આવેલા કારચાલકે અકસ્માત સર્જી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક એક્ટિવાચાલકને ઈજા પહોંચી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  શહેરના નારણપુરાના ભાવિન ચાર રસ્તા ખાતે સાંજના સમયે પૂર ઝડપે એક કાર રોંગ સાઈડમાં આવી રહી હતી.કાર ચાલકે ચાર રસ્તા પાસે પહોંચતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.જેના કારણે ચાર રસ્તા પર એક્ટિવા, રિક્ષા અને અન્ય કારને ટક્કર મારી હતી. આ ટક્કર વાગતા એક્ટિવા ચાલક એક્ટિવા પરથી રોડ પર પટકાતા ઈજા થઈ હતી.  જ્યારે રિક્ષાને ટક્કર વાગતા રિક્ષાની દિશા પણ બદલાઈ ગઈ હતી. આ અકસ્માતના લીધે લોકોના ટાળાં એકઠા થઈ ગયા હતા.

સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. આ અકસ્માતના બનાવમાં સદનસીબે મોટી જાનહાની થઈ નથી. અકસ્માત અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code