1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ચંડાળો તળાવ વિસ્તારમાં તમામ ઘરોને તાળાં, ટોરેન્ટે વીજ જોડાણો કાપ્યા
અમદાવાદમાં ચંડાળો તળાવ વિસ્તારમાં તમામ ઘરોને તાળાં, ટોરેન્ટે વીજ જોડાણો કાપ્યા

અમદાવાદમાં ચંડાળો તળાવ વિસ્તારમાં તમામ ઘરોને તાળાં, ટોરેન્ટે વીજ જોડાણો કાપ્યા

0
Social Share
  • અમદાવાદ પોલીસનું મેગો ઓપરેશન
  • પોલીસ કમિશનરે ચંડાળા તળાવની લીધી મુલાકાત
  • 143 બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ

  અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગેરકાયદે વસાહતી સામે પગલાં લેવા આદેશ અપાતા ગુજરાત સરકારે અમદાવાદ સહિત જુદા જુદા શહેરોમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ સામે ઝૂંબેશ હાથ ધરી છે. અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની મોટી વસાહત છે. અને છેલ્લા બે-ત્રણ દિવસથી પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશીઓને અટક કરીને તેમના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન ચંડાળા વિસ્તારમાં તમામ ઘરોમાં તાળા જોવા મળી રહ્યા છે. આજે ટોરેન્ટ દ્વારા પણ ગેરકાયદે વીજ જોડાણો કાપી નાંખવામાં આવ્યા હતા. શહેરના પોલીસ કમિશનરે પણ ચંડોળા વિસ્તારની ઓચિંતી મુલાકાત લીધી હતી.

 અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવા પોલીસ ડ્રાઈવ ચલાવી રહી છે. આજે અમદાવાદ પોલીસ કમિશનર પોતે મેદાનમાં ઉતર્યા હતા. પોલીસ કમિશનર જીએસ મલિક ચંડોળા પહોંચીને સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. ચંડોળા તળાવ એ બાંગ્લાદેશીઓનું મુખ્ય ડેસ્ટીનેશન માનવામાં આવે છે. આ વિઝીટ પહેલા અમદાવાદ પોલીસ કમિશનર ઈસનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ કમિશનર જી.એસ.મલિક, ડીસીપી ક્રાઇમ અજીત રાજીયન સહિતના ઉચ્ચ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચે તે પહેલાં તમામ ઘરોમાં તાળાં લટકતા જોવા મળ્યા હતા. આખો વિસ્તાર ખાલીખમ જોવા મળી રહ્યો છે. અગાઉ ટોરેન્ટે પણ વીજ જોડાણ કાપી નાખ્યા હતા. હાલમાં 143 બાંગ્લાદેશીની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા પોલીસ એક્શન મોડમાં છે. સતત ત્રણ દિવસથી રાજ્યભરમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ, સુરતમાંથી વધુ બાંગ્લાદેશીઓ પડાઈ રહ્યાં છે.  અમદાવાદ શહેરમાં  ચંડોળા તળાવની આસપાસથી પકડેયાલા 890 બાંગ્લાદેશીઓની તપાસમાં 100થી વધુ બાંગ્લાદેશી પાસેથી કોઈ દસ્તાવેજ મળ્યા નથી. તેઓની પૂછપરછમાં ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી હોવાની કબુલાત કરતા તેઓને ડીપોર્ટ કરવામાં આવશે. 550 જેટલા લોકો પાસેથી શંકાસ્પદ પાસપોર્ટ મળી આવતા પોલીસે તેની તપાસ શરૂ કરી છે, સાથે જ આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ મળતા કોઈ એજન્ટની મદદથી બનાવ્યા કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જો ગેરકાયદે રીતે આધાર કાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા હશે તો તે મામલે ગુનો પણ નોંધવામાં આવશે.

અમદાવાદ પોલીસે શનિવારે વહેલી સવારે ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કરી 890 લોકોની અટકાયત કરાઈ હતી. ચંડોળા તળાવની આસપાસ રહેલા શંકાસ્પદ લોકોની ધરપકડ બાદ તેમના દસ્તાવેજોની તપાસ કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ પાસપોર્ટ ધરાવતા લોકો પણ મળ્યા હતા. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ પાસપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ત્રણથી 4 એજન્ટના નામ પણ સામે આવ્યા છે જે ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ કઢાવી આપતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી ક્રાઇમ બ્રાન્ચ હાલમાં એજન્ટ મુદ્દે પણ તપાસ કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code