1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર જિલ્લાનો 152 કિમીનો દરીયા કિનારો છતાંયે વિકાસમાં પછાત રહ્યો
ભાવનગર જિલ્લાનો 152 કિમીનો દરીયા કિનારો છતાંયે વિકાસમાં પછાત રહ્યો

ભાવનગર જિલ્લાનો 152 કિમીનો દરીયા કિનારો છતાંયે વિકાસમાં પછાત રહ્યો

0
Social Share
  • રાજકીય નેતાઓની ઉપેક્ષાથી જિલ્લો વિકાસમાં પછાત રહ્યો
  • રોજગારી આપે એવા ઉદ્યોગો ન હોવાથી બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ
  • દરિયા કિનારે સુંદર બીચ હોવા છતાંયે પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરાતો નથી

ભાવનગરઃ રાજ્યના નાના-મોટા તમામ શહેરોનો વિકાસ થયો છે, પણ ભાવનગર શહેર અને જિલ્લો વિકાસમાં ખૂબ પાછળ છે. ભાવનગર જિલ્લાને કુદરતી રીતે 152 કિ.મી. લાંબો વિશાળ દરિયા કિનારો મળેલો છે, પરંતુ આ દરિયાકાંઠે પ્રવાસન સ્થળો વિકસાવવાની દિશામાં અત્યાર સુધીની તમામ સરકાર સુસ્ત વલણ અપનાવી રહી છે. દરિયાકાંઠાના સ્થળોએ જવા-આવવા માટે અનુકુળ સડક ઉપલબ્ધ બનાવવામાં પણ સંબંધિત તંત્ર ઉણુ ઉતરી રહ્યું છે. તેમજ જિલ્લામાં રોજગારી આપતા ઉદ્યોગોની અછત છે. તેના લીધે બેરોજગારીનું પ્રમાણ પણ વધ્યુ છે.

ભાવનગર એ વિશાળ અને પ્રાચીન જિલ્લામાંથી એક છે, જે દરિયા કિનારો અને સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. આ જિલ્લામાં 152 કિ.મી. લાંબો દરિયાઈ કિનારો છે, જે પ્રકૃતિપ્રેમી અને પ્રવાસીઓ માટે આકર્ષક સ્થાન બની શકે છે. જો કે, અહીંના સુંદર બીચ અને દરિયાના ખૂણાઓને યાત્રિક સ્થળો તરીકે વિકસાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. સ્થાનિક નેતાગીરીને પણ ભાવનગરના વિકાસની કંઈ પડી નથી.

ભાવનગર જિલ્લાના દરિયાઈ કિનારે એકથી વધુ બીચો આવેલા છે, જેમા ઘોઘા, કુડા, કોળીયાક, હાથબ, મીઠીવિરડી, ઝાંઝમેર, ગોપનાથ અને મહુવાનો સમાવેશ થાય છે. જે સમુદ્રપ્રેમી, વૉટર સ્પોર્ટ્સ અને બીચ ટુરિઝમ માટે શ્રેષ્ઠ સ્થાન તરીકે વિકસિત કરી શકાય છે. આ બીચોના આકર્ષણને ધ્યાનમાં રાખતા, અહીં સરકાર દ્વારા બીચ ટુરિઝમના ક્ષેત્રમાં રોકાણ અને વિકાસ માટે યોગ્ય પ્રયાસો કરવામાં આવતાં નથી. બીચ ટુરિઝમની સાથે સાથે જીલ્લામાં હોટલ-રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટેશન સહિતના આનુષંગિક વ્યવસાયોને બળ પ્રદાન થઇ શકે તેમ છે.

ગુજરાતમાં બીચ ટુરિઝમનું મહત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મઘ્યે આ પ્રકારના પ્રવાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પરંતુ ભાવનગર જિલ્લામાં દરિયાઈ કિનારા અને આકર્ષક બીચો હોવા છતાં, એનો યોગ્ય રીતે વિકાસિત કરવામાં આવ્યો નથી. ઘોઘા બીચ એ એવું ક્ષેત્ર છે જે ભવિષ્યમાં ઈકો-ટુરીઝમ અને સાંસ્કૃતિક પ્રવાસને ટેકો આપી શકે છે. આ વિસ્તારમાં ઐતિહાસિક મોન્યુમેન્ટ્સ પણ છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરી શકે છે.

આ ઉપરાંત જિલ્લાના કુડા, હાથબ અને ગોપનાથ બીચ પણ કુદરતી સૌંદર્ય અને શાંતિ માટે જાણીતા છે. આ બીચોના યોગ્ય પ્રસાર અને વિકાસથી ન માત્ર સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બની શકે છે, પરંતુ રાજ્યમાં ગુજરાતના બીચ ટુરિઝમને એક નવો દિશાવિહિન દ્રષ્ટિપ્રકાશ પણ મળી શકે છે. ઝાંઝમેર અને મીઠીવિરડી, મહુવા ભવાની, કુડા જેવા બીચો, જે મુખ્યત્વે મનમોહક છે અને જ્યાં છીછરો અને રેતાળ દરિયાકાંઠો છે, જેના કારણે બીચ ટુરીઝમ અને વોટર સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓ આસાનીથી વિકસાવી શકાય તેમ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code