1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર-હૈદરાબાદ સમર સ્પેશિયલ ટ્રેન જુનના અંત સુધી દોડાવાશે
ભાવનગર-હૈદરાબાદ સમર સ્પેશિયલ ટ્રેન જુનના અંત સુધી દોડાવાશે

ભાવનગર-હૈદરાબાદ સમર સ્પેશિયલ ટ્રેન જુનના અંત સુધી દોડાવાશે

0
Social Share
  • ભાવનગરથી દર રવિવારે સવારે 10.15 કલાકે ટ્રેન ઉપડશે,
  • બીજા દિવસે સોમવારે સાંજે 4.45 કલાકે હૈદરાબાદ પહોંચશે,
  • પ્રવાસીઓનો ધસારો રહેતા ટ્રેન હવે તા.29 જુન સુધી દોડશે

ભાવનગરઃ ઉનાળાના વેકેશનને લીધે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ભાવનગર-હૈદરાબાદ સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાતા પ્રવાસીઓ તરફથી સારોએવો પ્રતિસાદ મળ્યો હતો. આ ટ્રેન 1લી જુન સુધી દોડાવવાની હતી પણ હવે જુનના અંત સુધી દોડાવવામાં આવશે.

ભાવનગરના સિનિયર ડીસીએમ અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ ભાવનગર-હૈદરાબાદ ટ્રેન (નં. 07062) દર રવિવારે સવારે 10.15 વાગ્યે ભાવનગર ટમનસ સ્ટેશનથી ઉપડે છે અને બીજા દિવસે સોમવારે બપોરે 16.45 વાગ્યે હૈદરાબાદ સ્ટેશન પહોંચે છે. આ ટ્રેન તા. 1લી જૂન સુધી દોડવાની હતી, જે હવે તા. 29 જૂન સુધી દોડશે. તેવી જ રીતે, હૈદરાબાદ-ભાવનગર ટ્રેન (નં. 07061) દર શુક્રવારે હૈદરાબાદ સ્ટેશનથી 19.00 વાગ્યે ઉપડે છે અને રવિવારે સવારે 05.55 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચે છે. આ ટ્રેન તા. 30 મે સુધી દોડવાની હતી, જે હવે તા. 27 જૂન સુધી દોડશે.

આ ટ્રેનમાં સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ છે. આ ટ્રેન સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, સાબરમતી, વડોદરા, સુરત, ઉધના, નંદુરબાર, અમલનેર, ધરણગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી, બસમત, પૂર્ણા જંકશન, નાંદેડ, મુદખેડ જંકશન, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, મેડચલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેન (નં. 07062) માટે ટિકિટ બુકિંગ તાત્કાલિક અસરથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસીવેબસાઇટ પર શરૂ થઈ ગઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code