1. Home
  2. ગુજરાતી
  3. ચૈત્રી સુદ પૂર્ણિમા: અંબાજી મંદિરે શ્રદ્ધાળુઓનું ઉમટ્યું ઘોડાપુર
ચૈત્રી સુદ પૂર્ણિમા: અંબાજી મંદિરે શ્રદ્ધાળુઓનું ઉમટ્યું ઘોડાપુર

ચૈત્રી સુદ પૂર્ણિમા: અંબાજી મંદિરે શ્રદ્ધાળુઓનું ઉમટ્યું ઘોડાપુર

0
Social Share

અંબાજીઃ બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ મંગળા આરતીના દર્શન કર્યા. જેમ ભાદરવી પૂનમે ભક્તો અંબાજી મંદિરમાં ઉમટી પડે છે તેવી જ રીતે ચૈત્રી પૂનમે ભક્તો ઉમટી પડ્યા હતા.

મહત્તમ શ્રદ્ધાળુઓ ચૈત્રી પૂનમે પોતાની બાધા માનતા પૂરી કરવા અંબાજી મા અંબાજી મંદિરે પહોંચે છે. આ ચૈત્રી પૂનમને બાધાની પૂનમ પણ માનવામાં આવે છે. અંબાજી મંદિરનું ચાચરચોક લાલ ધજા પતાકાઓથી ભરચક જોવા મળ્યું હતું. અનેક શ્રદ્ધાળુઓ નાની-મોટી ધજા લઇ મા અંબાના મંદિરે પહોંચ્યા હતા અને ગરબે રમતા જોવા મળ્યાં હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code