
જયપુર-આગ્રા હાઇવે પર અકસ્માતમાં એક પરિવારના ચાર સભ્યોના મોત
નવી દિલ્હીઃ રોહતકના ખેડી સાધમાં રહેતા એક પરિવારના ચાર સભ્યો મહેંદીપુર બાલાજીથી પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, પરિવારના સભ્યો ગામમાંથી પાંચ વાહનોમાં રાજસ્થાન જવા રવાના થયા હતા. IMT પોલીસ સ્ટેશને જણાવ્યું કે ખેડી સાધ ગામની રહેવાસી પ્રમિલા (ઉ.વ 46) તેમના પુત્ર દિપાંશુ (ઉ.વ 21), પુત્રી સાક્ષી (ઉ.વ. 17) અને પાડોશી રાજબાલા (ઉ.વ. 60) સાથે કારમાં રાજસ્થાનના મહેંદીપુર બાલા દર્શન માટે જતા હતા. જ્યારે તેમના પડોશના અન્ય લોકો પણ એક કારમાં ગયા હતા. બંને કારમાં સાત લોકો જયપુર-આગ્રા હાઇવેથી પરત ફરી રહ્યા હતા. રસ્તામાં, દિપાંશુની કાર હાઇવે પર ઉભેલા કેન્ટર સાથે અથડાઈ અને બધા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દિપાંશુના બીમાર પિતાનું એક મહિના પહેલા અવસાન થયું હતું.
ઘાયલો અડધા કલાક સુધી કારમાં ફસાયેલા રહ્યા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે ઘાયલોને કારમાંથી બહાર કાઢવામાં લગભગ અડધો કલાક લાગ્યો અને પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.