1. Home
  2. ગુજરાતી
  3. ભારત અને જોર્ડનેનો દ્વીપક્ષીય વેપારને પાંચ અબજ ડોલર સુધી લઈ જવાશે
ભારત અને જોર્ડનેનો દ્વીપક્ષીય વેપારને પાંચ અબજ ડોલર સુધી લઈ જવાશે

ભારત અને જોર્ડનેનો દ્વીપક્ષીય વેપારને પાંચ અબજ ડોલર સુધી લઈ જવાશે

0
Social Share

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ-હુસૈનને અમ્માનના અલ હુસૈનિયા પેલેસ ખાતે મળ્યા હતા અને આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને 5 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રજૂ કર્યો હતો. આ મુલાકાત પછી, પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “અમ્માનમાં રાજા અબ્દુલ્લા II સાથે ફળદાયી ચર્ચા થઈ. ભારત-જોર્ડન સંબંધોને મજબૂત બનાવવા માટેની તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા નોંધપાત્ર છે. આ વર્ષે આપણે આપણા દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન આપણને નવા ઉત્સાહ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપતું રહેશે.”

પ્રધાનમંત્રી મોદીએ જોર્ડનની ડિજિટલ ચુકવણી પ્રણાલી અને ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વચ્ચે સહયોગની પણ હિમાયત કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જોર્ડન ભારતને ખાતરોનો એક મહત્વપૂર્ણ સપ્લાયર છે અને ભારતની ફોસ્ફેટિક ખાતરોની વધતી માંગને પહોંચી વળવા માટે જોર્ડનમાં રોકાણ અંગે બંને દેશોની કંપનીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, નવીનીકરણીય ઉર્જા, ખાતરો અને કૃષિ, નવીનતા, આઇટી અને ડિજિટલ ટેકનોલોજી, મહત્વપૂર્ણ ખનિજો, માળખાગત સુવિધા, આરોગ્ય અને ફાર્મા, શિક્ષણ અને ક્ષમતા નિર્માણ, પ્રવાસન અને વારસો, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી.

તેમણે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રી મોદીએ પ્રદેશમાં કાયમી શાંતિ પ્રાપ્ત કરવાના પ્રયાસો માટે ભારતના સમર્થનની પુષ્ટિ કરી. આ પ્રસંગે, બંને દેશોએ સંસ્કૃતિ, નવીનીકરણીય ઉર્જા, પાણી વ્યવસ્થાપન, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને પેટ્રા અને એલોરા વચ્ચે જોડિયા વ્યવસ્થાને આવરી લેતા સમજૂતી કરારો (MoU) ને અંતિમ સ્વરૂપ આપ્યું. આ કરારો ભારત-જોર્ડન દ્વિપક્ષીય સંબંધો અને મિત્રતાને નવી ગતિ આપશે તેવી અપેક્ષા છે. વાટાઘાટો પછી, રાજા અબ્દુલ્લા દ્વિતીયએ વડા પ્રધાન મોદીના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું. પીએમ મોદીએ કિંગ અબ્દુલ્લાને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું, જેનો તેમણે સ્વીકાર કર્યો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code