1. Home
  2. ગુજરાતી
  3. ભારતે UNમાં પાકિસ્તાનની કટ્ટરપંથી માનસિકતાની કરી નિંદા
ભારતે UNમાં પાકિસ્તાનની કટ્ટરપંથી માનસિકતાની કરી નિંદા

ભારતે UNમાં પાકિસ્તાનની કટ્ટરપંથી માનસિકતાની કરી નિંદા

0
Social Share

નવી દિલ્હીઃ UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી.હરીશે પાકિસ્તાનની કટ્ટરપંથી માનસિકતાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, “કાશ્મીર પર ફરિયાદ કરવાથી સરહદ પારના આતંકવાદને યોગ્ય ઠેરવી શકાય નહીં.” પાકિસ્તાનની “કટ્ટરપંથી માનસિકતા”ની નિંદા કરતા UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને ઉઠાવવાથી સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠેરવી શકાય નહીં અથવા આ વાસ્તવિકતા બદલી શકાય નહીં કે આ ક્ષેત્ર ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને રહેશે. પી. હરીશે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ઇસ્લામોફોબિયા સામે લડવા માટે યોજાયેલી મહાસભાની અનૌપચારિક બેઠક દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ તહમીના જંજુઆએ ઉઠાવેલા કાશ્મીરના મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી.

પી. હરીશે વધુમાં કહ્યું કે, “જેમ તેમની ટેવ છે, તેમ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવે આજે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો અયોગ્ય ઉલ્લેખ કર્યો છે. વારંવાર સંદર્ભો આપવાથી ન તો તેમના દાવાઓ યોગ્ય ઠરશે અને ન તો સરહદ પાર આતંકવાદને લઈને તેમની પ્રૅક્ટિસને ન્યાયી ઠેરવી શકાશે.” પી. હરીશે પાકિસ્તાન વિશે કહ્યું કે, “આ દેશની કટ્ટરવાદી માનસિકતા અને ઉગ્રવાદનો રેકોર્ડ જાણીતો છે.”

UNમાં પી. હરીશે વધુમાં કહ્યું કે, આવા પ્રયાસો એ વાસ્તવિકતા બદલશે નહીં કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. જ્યારે કાશ્મીરની વાત આવે છે, ત્યારે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં એક અવાજ જ બનીને રહી જાય છે. જ્યારે પણ તેના પ્રતિનિધિઓને બોલવાની તક મળે છે, ત્યારે તે કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે, પરંતુ અન્ય કોઈ દેશ આ મુદ્દો ઉઠાવતો નથી.

તે જ સમયે, 2017થી 2019 સુધી પાકિસ્તાનના વિદેશ સચિવ રહેલા તહમીના જંજુઆએ આમંત્રિત સભ્ય તરીકે બેઠકમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે કહ્યું કે, પાકિસ્તાને કાશ્મીરને ગાઝા સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે, જે તેની એક ચાલ છે. ભારત-અધિકૃત કાશ્મીર અને પેલેસ્ટાઇન જેવા કબજા હેઠળના પ્રદેશોમાં મુસ્લિમોની ભયાનક હત્યાઓનું એક મહત્વપૂર્ણ કારણ ઇસ્લામોફોબિયા છે. આ દરમિયાન, તેમણે આડકતરી રીતે “લવ જેહાદ” અને “ગાય રક્ષકો” સાથે સંબંધિત “લિંચિંગ”નો પણ ઉલ્લેખ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code