1. Home
  2. ગુજરાતી
  3. પ્રધાનમંત્રીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી
પ્રધાનમંત્રીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી

પ્રધાનમંત્રીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી

0
Social Share

નવી દિલ્હીઃ હિંમત અને દેશભક્તિના સાચી પ્રતિમૂર્તિ ઝાંસીની નીડર રાણી લક્ષ્મીબાઈની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, “હિંમત અને દેશભક્તિના સાચા મૂર્ત સ્વરૂપ ઝાંસીની નિર્ભય રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. સ્વતંત્રતાની લડાઈમાં તેમની બહાદુરી અને પ્રયત્નો પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. પ્રતિકૂળ સમયે તેમના નેતૃત્વએ બતાવ્યું કે સાચો દ્રઢ સંકલ્પ શું હોય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “આપણાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.”

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code