
શનિવારે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારના દિવસે રાજકીય શોક
નવી દિલ્હીઃ 26 એપ્રિલ 2025ના રોજ પવિત્ર ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ, Supreme Pontiff of the Holy Seeના અંતિમ સંસ્કાર શનિવારના રોજ યોજાશે. તે દિવસે રાજકીય શોક રાખવામાં આવશે. 26 એપ્રિલ 2025ના રોજ, સમગ્ર ભારતમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં.
ભારત સરકારે પવિત્ર ધર્મગુરુ, સુપ્રીમ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના નિધન પર શ્રદ્ધાંજલિ રૂપે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. 22 એપ્રિલ અને 23 એપ્રિલ 2025ના રોજ બે દિવસનો રાજકીય શોક મનાવવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Funeral Day Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates political mourning Pope Francis Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Saturday Taja Samachar viral news