1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસિય બેઠકનો પ્રારંભ, 31મીએ યાદી જાહેર કરાશે
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસિય બેઠકનો પ્રારંભ, 31મીએ યાદી જાહેર કરાશે

ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસિય બેઠકનો પ્રારંભ, 31મીએ યાદી જાહેર કરાશે

0
Social Share
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા મળી પાર્લાનેન્ટરી બોર્ડની બેઠક,
  • નિરીક્ષકો દ્વારા પેનલ યાદી પાર્લામેન્ટરી બોર્ડને સોંપાઈ
  • જૂનાગઢ મનપા અને 66 ન.પા.ની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો નક્કી કરશે

અમદાવાદઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મ્યુનિ.કોર્પોરેશન અને  66 નગરપાલિકાઓ સહિત પંચાયત અને પાલિકાઓની ખાલી બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની આખરી કવાયત ચાલી રહી છે. ત્યારે આજથી બે દિવસીય ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગરમાં સીએમના અધ્યક્ષસ્થાને મળી છે. આ બેઠકમાં નિરીક્ષકો દ્વારા સેન્સ લઈને ઉમેદવારોના નામોના મુકાયેલા રિપોર્ટની ચર્ચા કરીને ઉમેદવારોના નામ નક્કી કરશે.બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ અને, સંગઠન મહામંત્રી અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા છે.

ગુજરાતમાં જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશન અને  66 નગરપાલિકાઓ તેમજ ગાંધીનગર સહિત તાલુકા પંચાયતોની ચૂંટણી તેમજ મ્યુનિ. અને પંચાયતોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી 16મી ફેબ્રુઆરીએ યોજાશે. અને 18મી ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. આ ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જોડાણ થયું નથી, અને બન્ને પક્ષ પોતાના ઉમેદવોરોને રણ મેદાનમાં ઉતારશે. જ્યારે અજીત પવારની એનસીપી પણ ઉમેદવારો ઊબા રાખશે. મહારાષ્ટ્રમાં એનસીપી (અજીત પવાર)નું જોડાણ ભાજપ સાથે છે. પણ ગુજરાતમાં એનસીપી (અજીત પવાર) એકલા હાથે ચૂંટણી લડશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. નગરપાલિકા અને જુનાગઢ મનપાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર આજથી બે દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલા નામો પર ચર્ચા કરાયા બાદ ઉમેદવારોની ફાઈનલ યાદી 31 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

જુનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકા તેમજ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણીમાં ભાજપની જેમ કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.  કોંગ્રેસે પોતાના ઉમેદવાર હાલ જાહેર કરવાને બદલે જિલ્લા અને મહાનગરના સંગઠનના હોદ્દેદારોને બોલાવી બેઠક દીઠ બેથી ત્રણ કોરાં મેન્ડેટ સોંપી દીધા છે. પક્ષમાંથી અને સ્થાનિક સ્તરે સહયોગ કરીને આખરી થયેલા ઉમેદવારો આ મેન્ડેટ લઇ ફોર્મ ભરશે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code