
પ્રધાનમંત્રી પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાના કાર્યક્રમમાં ભાગ લેશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા અપાવવાની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધિત પણ કરશે.
અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના શિક્ષણ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. હાલમાં જ પાલીને અન્ય ચાર ભાષાઓની સાથે શાસ્ત્રીય ભાષા તરીકેની માન્યતા મળવાથી આ વર્ષના અભિધમ્મ દિવસની ઉજવણીનું મહત્વ વધી ગયું છે, કેમકે ભગવાન બુદ્ધના અભિધમ્મ પર ઉપદેશ મૂળરૂપે પાલી ભાષામાં ઉપલબ્ધ છે.
ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણીમાં 14 દેશોના શિક્ષણવિદો અને સાધુઓ અને ભારતભરની વિવિધ યુનિવર્સિટીઓમાંથી બુદ્ધ ધમ્મ પર મોટી સંખ્યામાં યુવા નિષ્ણાતો ભાગ લેશે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Prime Minister Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar To recognize Pali as a classical language viral news will participate in the program