1. Home
  2. ગુજરાતી
  3. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદી આફત, 20થી વધારે મોત
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદી આફત, 20થી વધારે મોત

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદી આફત, 20થી વધારે મોત

0
Social Share

• ભારે વરસાદને પગલે 100થી વધુ ટ્રેનો રદ
• વરસાદી આફતને પગલે જનજીવન ખોરવાયું
• વડાપ્રધાને બંને રાજ્યોને મદદની ખાતરી આપી

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશમાં બે દિવસ ભારે વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે બંન્ને રાજ્યોમાં 20થી વધુ લોકોના મોત થયા હતા. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જી છે અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે તેમજ અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરી ગયા છે. પાણી ભરાવવાના કારણે બંન્ને રાજ્યોમાં રેલ્વે અને રોડ વ્યવહારને માઠી અસર થઈ છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાની નદીઓ ગાંડીતૂર બની છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હજારો લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

ભારે વરાસાદને પગલે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં 100થી વધારે ટ્રેનો રદ કરવી પડી છે. કેટલીક ટ્રેનોના રુટ બદલવા પડ્યા છે. વરસાદને પગલે કેટલાક રેલ્વે ટ્રેક પાણીમાં ડુબી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડી સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વડા પ્રધાને બંને મુખ્યમંત્રિયોને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેથી શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે નવ લોકોના મોત થયા છે. હૈદરાબાદમાં વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સોમવારે શહેરમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે અદિલાબાદ, નિઝામાબાદ, રાજન્ના સરસિલ્લા, યાદરી ભુવનગીરી, વિકરાબાદ, સંગારેડ્ડી, કામરેડ્ડી અને મહબૂબનગરમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સીએમ ચંદ્રબાબુ નાયડુએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આંધ્રપ્રદેશમાં પણ વરસાદને કારણે 9 લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશનો વિજયવાડા જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે.

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ટોચના અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી છે. અધિકારીઓને એલર્ટ રહેવા અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવા સૂચના આપવામાં આવી છે. વરસાદના કારણે જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, પાર્વતીપુરમ મન્યમ, અલ્લુરી સીતારામ રાજુ, કાકીનાડા અને નંદ્યાલા જિલ્લામાં ભારે વરસાદ થયો છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે અમે વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છીએ. હાલમાં 110 બોટ લોકોને ભોજન અને મેડિકલ સેવા પૂરી પાડી રહી છે. હું સતત સ્થિતિની સમીક્ષા કરી રહ્યો છું અને અધિકારીઓ પણ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. ગઈ રાતથી મેં ઘણા પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી છે. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. અમે પૂર પ્રભાવિત વિસ્તારોમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવી રહ્યા છીએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code