1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરાયું
સુરેન્દ્રનગરમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરાયું

સુરેન્દ્રનગરમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરાયું

0
Social Share

સુરેન્દ્રનગર, 7 એપ્રિલ 2026:  Water troughs and bird houses distributed for birds શહેરના જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટે જીવદયા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા, ચકલી ઘર, ચણ અને જારનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. આ વિતરણનો કાર્યક્રમ શહેરના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે, જવાહર રોડ પર યોજાયો હતો. આ પહેલનો મુખ્ય હેતુ અસહ્ય તાપમાનમાં પક્ષીઓને પાણી અને આશ્રય પૂરો પાડવાનો હતો.

શહેરના જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા દર વર્ષે નિયમિતપણે જીવદયા અને સેવા સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ પક્ષીઓ માટે પાણી અને આશ્રયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ  શહેરના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે, જવાહર રોડ પર સફળતાપૂર્વક યોજાયો હતો. જેમાં પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા, ચકલી ઘર, ચણ અને જારનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.

 આ કાર્યક્રમમાં ગ્રુપની સમગ્ર કારોબારી ટીમ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી હતી અને સેવા કાર્યને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. આવા સેવાકીય પ્રયત્નો દ્વારા સમાજમાં કરુણા અને જીવદયાનો સંદેશ વ્યાપક સ્તરે પ્રસરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code