1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સમસ્ત પાટિદાર સમાજનું યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે
અમદાવાદમાં સમસ્ત પાટિદાર સમાજનું યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે

અમદાવાદમાં સમસ્ત પાટિદાર સમાજનું યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે

0
Social Share
  • પાટિદાર યુવા બિઝનેસ સંમેલનમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે
  • 28મી ડિસેમ્બરે યોજાનારા સંમેલનમાં 7 દેશોમાંથી પાટિદાર યુવા બિઝનેસમેન ભાગ લેશે
  • દેશભરના 20 હજારથી વધુ યુવા પાટિદારો સંમેલનમાં જોડાશે

અમદાવાદઃ  શહેરમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે, આ મહાસંમેલન 28 ડિસેમ્બરે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાશે. પાટીદાર સમાજના યુવાનોને ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે.

અમદાવાદના આંગણે ઉમિયાધામ ખાતે યોજાનારા આ યુવા બિઝનેસ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. 28 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે અમિત શાહની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું મુખ્ય સત્ર યોજાશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પાટીદાર સમાજના અનેક મંત્રીઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

મહાસંમેલનના આયોજકોના કહેવા મુજબ પાટિદાર યુવા બિઝનેસ મહા સંમેલનમાં અમેરિકા સહિત કુલ 7 દેશમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન ભાગ લેશે. અંદાજે 20 હજારથી વધુ યુવા બિઝનેસમેન આ મહાસંમેલનમાં જોડાશે, જે તેને એક વિશાળ અને ઐતિહાસિક કાર્યક્રમ બનાવશે. વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાનારા આ યુવા બિઝનેસ મહાસંમેલનથી પાટીદાર સમાજના યુવાનોને વૈશ્વિક સ્તરે વ્યવસાયની નવી દિશાઓ અંગે માર્ગદર્શન મળશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code