1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 20 હજાર પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો બંદોબસ્ત રહેશે
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 20 હજાર પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો બંદોબસ્ત રહેશે

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 20 હજાર પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો બંદોબસ્ત રહેશે

0
Social Share
  • રથયાત્રાના રૂટ પર 5 સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમ,
  • 75થી વધુ ડ્રોનથી મોનિટરિંગ કરાશે,
  • લોકોમાં ભાગદોડ ના થાય એ માટે AIનો ઉપયોગ કરાશે

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને યોજાતી રથયાત્રાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રથયાત્રા માટે આખરી તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા 27 જૂનના રોજ યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પારંપરિક રૂટ પર લાખો દર્શનાર્થીઓની હાજરીમાં રથયાત્રા નિકળશે, રથયાત્રામાં આ વર્ષે પણ 101 ટ્રક ભાગ લેશે. રથયાત્રા દરમિયાન 20 હજાર પોલીસ જવાનો અને પેરા મિલિટરી ફોર્સનો સઘન બંદાબસ્ત ગોઠવાશે,  પોલીસ 3200 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ ફીટથી નજર રાખશે. આ સાથે જ રથયાત્રાના રૂટ પર 5 સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરાશે તથા 75થી વધુ ડ્રોનથી સતત મોનિટરિંગ કરાશે. આ સાથે જ RCBની સેલિબ્રેશન પરેડ જેવી ભાગદોડ ના થાય એ માટે AIનો ઉપયોગ કરાશે. તથા ક્રાઉડ મેનેજમેન્ટ અને મેન્યુઅલ ઇન્ટેલિજન્સ સહિતની તૈયારીઓ ક્રાઇમ બ્રાન્ચે કરી છે.

અમદાવાદ શહેરમાં અષાઢી બીજને તા. 27મી જુને પરંપરાગત 148મી રથયાત્રા યોજાશે. આ રથયાત્રા પોલીસ માટે પણ એક પરીક્ષા સમાન હોય છે,રથયાત્રામાં સુરક્ષાના ભાગરૂપે દુર્ઘટનાઓ ટાળવા પોલીસ મહિનાઓ પહેલાં તૈયાર થઈ જતી હોય છે, જેમાં ગુનેગારોની અટકાયત કરવી, શસ્ત્રોને પણ ઝડપી પાડવા, રથયાત્રાના રૂટ પર રિહર્સલ કરવું વગેરે બાબતોની કાળજી રાખવામાં આવે છે. પોલીસની આ કામગીરી પર DCP અજિત રાજિયાને નિવેદન આપ્યું છે. એ મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા બેથી ત્રણ દિવસમાં ઘણા બધા હથિયારોના કેસો શોધ્યા છે. કોઈપણ પ્રકારની ભાગદોડ ના થાય એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

રથયાત્રામાં 75થી વધુ ડ્રોનથી દેખરેખ રખાશે.  જમાલપુર જગન્નાથ મંદિરમાં થયેલી મિટિંગમાં લાઇવ ફૂટેજનો ડેમો પણ લેવામાં આવ્યો છે. ભીડનો ખ્યાલ ડ્રોનની હાઇટ સાથે આવતો હોય છે. એનાથી સમસ્યાઓ ઉકેલવામાં મદદ મળશે. રથયાત્રામાં 75થી વધુ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં 45 ડ્રોન ક્રાઇમ બ્રાન્ચ પાસે છે, ઉપરાંત 30થી વધુ ખાનગી કંપનીનાં ડ્રોન દ્વારા દેખરેખ કરવામાં આવશે. તમામ ડ્રોનમાં GPS લગાડવામાં આવ્યા છે. ડ્રોન અને એના ઓપરેટરે કેટલી ઊંચાઈએ તેમજ કેટલા અંતરમાં રહેવું, કઈ જગ્યાએ રહેવું એ પણ નક્કી કરવામાં આવ્યું છે. જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. બેંગલુરુ જેવી ભાગદોડની ઘટના ના બને એ માટે AI તકનીકનો પણ ઉપયોગ થવાનો છે. ઉપરાંત ઇમર્જન્સી માટે એમ્બ્યુલન્સ પ્રવેશ અને નીકળવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code